દરેક કાર્યોમાં અડચણો આવતી હોય તો તેને દૂર કરવા માટે જ્યોતિષમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. લાંબા સમય સુધી આ ઉપાય કરવાથી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું દુર્ભાગ્ય દૂર કરવાના કેટલાક ઉપાયો...
- જ્યારે સૂર્ય અશુભ હોય ત્યારે ગોળ ઘંઉ લાલ રંગની વસ્તુઓ અને તાંબાના વાસણોનું દાન કરવું જોઇએ.
- ઘરની આસપાર જ્યાં પણ કાળી કીડી દેખાય ત્યાં લોટ અને ગોળ નાખો. ડીઓને ગોળ અને લોટ ખવડાવવાથી દુર્ભાગ્ય દૂર થાય છે. ઘરમાં સુખ-શાંતિ વધી શકે છે. આ ઉપાય રોજ કરવો જોઇએ.
- જો ચંદ્ર અશુભ હોય તો શિવલિંગ પર ચાંદીના લોટથી દૂધ ચઢાવવું જોઇએ.
- મંગળથી શુભ ફળ મેળવવા માટે ગોળ મિક્સ કરીને મીઠી રોટલી બનાવી અને ગરીબને દાન કરો. હનુમાનજીને ચોળા ચઢાવો અને ધજાનું દાન કરો.
- જો તમે લીલા મગ પન્ના લીલી બંગડીઓ વગેરે દાનમાં આપવાથી બુધ ગ્રહ શુભ બને છે. આ ઉપાય દર બુધવારે કરવો જોઇએ.
- જ્યારે ગુરુ ગ્રહ અશુભ હોય તો કોઇ મંદિરમાં ગુપ્ત દાન કરો. દાન કોઇને ન જણાવશે. આ દાન સમય-સમય પર કરતા રહેવું જોઇએ. ગાયને ગોળ હળદળ લોટ મિક્સ કરીને ખવડાવો.
- શનિનું શુભ ફળ મેળવવા માટે તેલમાં પોતાનો ચહેરો જોઇ આ તેલનું દાન કરી દો. કાળા અડદ લોખંડ અને તેલનાં વ્યંજનોનું દાન કરો.
- જો રાહુ અશુભ હોય તો નદીમાં નારિયેળ વધાવી દો. મૂળાનું દાન કરો. સફાઇ કર્મચારીને રૂપિયા કપડાં અને અનાજનું દાન કરો.
- કુંડળીમાં કેતુ શુભ ન હોય તો કોઇ કૂતરાને ભરપેટ ભોજન કરાવો આ ઉપાય રોજ કરો.
- ધન હાનિ રોકવા માટે અને ઘરમાં શાંતિ જાળવી રાખવા કિચનમાં પાણી રાખવાની જગ્યાએ રોજ સાંજે દીવો કરવો.
- દિવસની શરૂઆત ગણેશજીની પૂજાથી કરો. ગણેશજીને ધરો ચઢાવો.
- રોજ સવારે વહેલા ઊઠી સ્નાન કરી તાંબાના લોટાથી સૂર્યને અર્ધ્ય આપવું.