પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર ગરીબી રેખા નીચે જીવતા લાભાર્થીઓને એલપીજી કનેક્શન આપે છે.
પીએમ ઉજ્જવલા યોજના હેઠળ અપાય છે Free એલપીજી કનેક્શન
આ યોજનાનો લાભ માત્ર મહિલાઓ જ લઈ શકે છે
અરજદાર મહિલાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ
જો તમે પણ પીએમ ઉજ્જવલા યોજના (PM Ujjwala Yojana) નો લાભ લેવા ઇચ્છતા હોવ તો આ સમાચાર ખાસ તમારી માટે છે. આ યોજનાની વાત કરીએ તો શરૂઆતમાં 5 કરોડ મહિલાઓને લાભ આપવા માટે રાખવામાં આવી હતી. બાદમાં 8 કરોડ મહિલાઓને આ યોજના સાથે જોડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, આ યોજના અંતર્ગત ઘરની મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપવામાં આવે છે. સરકારી સંસ્થા PIBએ આ યોજનાને લઈને એક રિપોર્ટ પણ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં એલપીજી કવરેજમાં વધારો થયો છે અને તે 104.1 થઈ ગયું છે. જે 2016 માં તે 62 ટકા હતું.
રિપોર્ટ વિશે આગળ જો વાત કરીએ તો, PM ઉજ્જવલા યોજના હેઠળ છેલ્લાં 6 વર્ષમાં 9 કરોડથી વધુ ડિપોઝિટ ફ્રી LPG કનેક્શનનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ 35.1 ટકા લાભાર્થીઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી આવે છે. રિપોર્ટ અનુસાર પીએમ ઉજ્જવલા યોજના હેઠળ 14 કરોડથી વધુ ફ્રી એલપીજી રિફિલ એટલે કે ભરેલા સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે અહીં તમને જણાવીશું કે આખરે કેવી રીતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવો.
PM @narendramodi launched Pradhan Mantri #Ujjwala Yojana to safeguard the health of women and children by providing them with clean cooking
fuel, so that they don’t have to compromise their health in a smoky kitchen.
જાણો કોને મળશે આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ?
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ, સરકાર ગરીબી રેખા નીચે જીવતા લાભાર્થીઓને એલપીજી કનેક્શન આપે છે. તમને જણાવી દઈએ કે, આ યોજનાનો લાભ માત્ર મહિલાઓ જ લઈ શકે છે. ઉપરાંત, અરજદાર મહિલાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. એ સિવાય જો એક જ ઘરમાં આ યોજના હેઠળ અન્ય કોઈ એલપીજી કનેક્શન હશે તો તેમને સરકાર દ્વારા આ યોજનાનો લાભ આપવામાં નહીં આવે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કનેક્શન માટે તમારે આ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે
ઉજ્જવલા કનેક્શન માટે ઇ-કેવાયસી (know your customer) જરૂરી
BPL રેશન કાર્ડ અથવા કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ રેશન કાર્ડ, જેમાં તમારી પાસે ગરીબી રેખા નીચે હોવાનો પુરાવો તમારી પાસે હોવો જરૂરી.
તમારે આધાર કાર્ડ અથવા વોટર આઈડી કાર્ડની જરૂર પડશે.
અહીં તમને ઈન્ડેન, ભારત ગેસ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP) ના વિકલ્પો દેખાશે.
હવે તમે તમારી અનુકૂળતા મુજબ વિકલ્પ પણ પસંદ કરી શકો છો.
ત્યાર બાદ કાળજીપૂર્વક તમામ વિગતો ભરવાનું કામ કરો.
આ સિવાય જો તમે ઈચ્છો તો ફોર્મ ડાઉનલોડ કરી લો. તેને ભરીને નજીકમાં આવેલી ગેસ એજન્સી ડીલરને પણ તમે સબમિટ કરાવી શકો.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ તમને એલપીજી ગેસ કનેક્શન આપવાનું કામ કરવામાં આવશે.
કનેક્શનની સાથે તમને આ પણ મળશે: ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સરકાર મફત એલપીજી ગેસ કનેક્શન, ભરેલો સિલિન્ડર અને ચૂલો આપવાનું કામ કરી રહી છે. માત્ર એટલું જ નહીં, પરંતુ સરકાર દ્વારા લાભાર્થીઓને પ્રથમ રિફિલ વિનામૂલ્યે આપવામાં આવે છે.
વધુ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરો: ઘણી વાર લોકો ઉજ્જવલા યોજના વિશે માહિતી મેળવવા માટે પરેશાન હોય છે, પરંતુ સરકારે આ માટે હેલ્પલાઈન નંબર અને ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યા છે.