કોરોના વાયરસ સામેની જંગમાં કેન્દ્ર સરકારે ગરીબ વર્ગને રાહત આપવા 1.7 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ રાહત પેકેજનો એક ભાગ એ પણ હતો કે ઉજ્જવલા યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર મફત એલપીજી સિલિન્ડર આપશે. સરકારની આ સ્કીમનો લાભ ફક્ત તે લોકોને જ મળી શકશે જેઓ આ યોજના હેઠળ રજિસ્ટર્ડ છે. આ સરકારી સ્કીમનો લાભ લેવા હવે તમારી પાસે માત્ર એક મહિનો જ બાકી છે, કારણ કે આ સ્કીમ 3 મહિના માટે હતી, જે જૂનના અંતમાં સમાપ્ત થઈ જશે.
સરકારની આ ખાસ સ્કીમ હેઠળ મફતમાં મેળવો એલપીજી સિલિન્ડર
આ સ્કીમનો લાભ લેવા ઉજ્જવલા યોજનામાં રજિસ્ટર્ડ હોવું જરૂરી
જૂનના અંતમાં આ સ્કીમ સમાપ્ત થઈ જશે
એલપીજી સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકનો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હોવો ફરજિયાત છે. આનો અર્થ એ થયો કે જે લાભાર્થીઓનો મોબાઇલ નંબર ગેસ એજન્સીમાં નોંધાયેલ છે, તેઓને જ આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત બધાંને લાભ મળે તે માટે સરકારે સંપૂર્ણ તૈયારી કર્યા બાદ સિલિન્ડરનો સપ્લાય કરાવનું પણ શરૂ કરી દીધું છે. આ માટે સૌથી પહેલાં લાભાર્થીના ખાતામાં સિલિન્ડરની રકમ જમા કરવામાં આવશે. એ પછી તે ગેસ બુક કરશે અને કેશ ચૂકવશે અને સિલિન્ડર લઈ લેશે.
એક મહિનામાં કેટલા સિલિન્ડર મળશે
ઉજ્જવલા યોજના અંતર્ગત વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 14.2 કિલોગ્રામના 3 એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. 1 મહિનામાં ફક્ત એક સિલિન્ડર મફત આપવામાં આવશે. જેમની પાસે 5 કિલોવાળા સિલિન્ડર છે તેમને 3 મહિનામાં કુલ 8 સિલિન્ડર આપવામાં આવશે. એટલે કે, એક મહિનામાં વધુમાં વધુ 3 સિલિન્ડર મફત હશે.
કેવી રીતે અરજી કરવી
PMUY હેઠળ ગેસ કનેક્શન લેવા માટે બીપીએલ પરિવારની કોઈપણ મહિલા અરજી કરી શકે છે. આ માટે તમારે KYC ફોર્મ ભરીને નજીકના એલપીજી સેન્ટરમાં સબમિટ કરવું પડશે. PMUYમાં અરજી માટે 2 પાનાનો ફોર્મ, જરૂરી દસ્તાવેજો, નામ, સરનામું, જન ધન બેંક ખાતું નંબર, આધાર નંબર વગેરે આવશ્યક છે. અરજી કરતી વખતે, તમારે એ પણ કહેવું પડશે કે તમારે 14.2 કિલો સિલિન્ડર લેવું છે કે 5 કિલો. તમે વડા પ્રધાન ઉજ્જવલા યોજનાની વેબસાઇટ પરથી PMUYનો અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. તમે નજીકના એલપીજી સેન્ટરમાંથી પણ અરજી ફોર્મ લઈ શકો છો.
PMUY માટે કયા દસ્તાવેજો જરૂરી છે?
પંચાયત અધિકારી અથવા મહાનગરપાલિકા પ્રમુખ દ્વારા અધિકૃત BPL કાર્ડ