સ્ટ્રીટ વેંડર્સ માટે હવે રાહતના સમાચાર મોદી સરકાર લાવી છે. કેન્દ્ર સરકારની નવી સ્વનિધિ યોજનામા વેંડર્સને રૂ. 10 હજારની મદદ મળશે. આ યોજનાથી 50 લાખથી વધુ સ્ટ્રીટ વેંડરોને લાભ મળી શકશે. ઉલ્લેખનીય છે કે 1 ઓગસ્ટથી કેન્દ્ર સરકાર આ યોજનાને લોન્ચ કરશે. આ માટે જાણી લો કોને આ યોજનાનો લાભ મળશે અને તેને માટે કઈ રીતે અરજી કરવાની રહેશે.
સ્ટ્રીટ વેંડરો માટે કેન્દ્ર સરકારની લાવી રહી છે સ્વનિધિ યોજના
સ્ટ્રીટ વેંડર્સ, લારી વાળા કે સડક કિનારે દુકાન ચલાવનારા માટે સરકારે એક લોન સ્કીમ (Govt started Loan Scheme For Street Vendors) શરૂ કરી છે. તેનું નામ પીએમ સ્વનિધિ યોજના છે. આ યોજનાનો હેતુ સ્ટ્રીટ વેંડર્સની મદદનો છે અને આ માટે 5000 કરોડની રકમ ફાળવવામાં આવી છે. તેના માટે કોઈ ખાસ નિયમો લાગૂ કરાયા નથી.
કેટલી મળશે લોન અને કેટલું આપવાનું રહેશે વ્યાજ
પીએમ સ્વનિધિ યોજનાના આધારે વધારેમાં વધારે 10 હજાર રૂપિયાની લોન મળે છે. આ રૂપિયા કારોબાર શરૂ કરવામાં મદદ કરે છે. આ સરળ શરતો સાથે આપવામાં આવે છે. એક રીતે તે અનસિક્યોર્ડ લોન છે. આ યોજનાના આધારે સામાન્ય દરે લોન આપવામાં આવે છે. સમય પ્રમાણે લોન ભરનારાને તેમાં ખાસ છૂટ પણ આપવામાં આવે છે.
કોને મળી શકશે લોન
સડક કિનારે વેપાર કરનારા, લારી કે રેકડી ચલાવનારાને આ લોન આપવામાં આવશે. ફળ-શાક, લોન્ડી, સલૂન,પાનની દુકાનો પણ તેમાં સામેલ છે. તેને ચલાવનારા પણ આ લોન લઈ શકે છે.
કેટલા લોકોને થશે ફાયદો
સરકાર માને છે કે આ સ્કીમથી 50 લાખ સ્ટ્રીટ વેંડર્સને ફાયદો થશે. આ સ્કીમ એવા દુકાનદારોની એક રીતે મદદ કરશે જે વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલા છે. તેઓ નાની રકમના બદલે વધારે પડતું વ્યાજ વસૂલે છે. આ સ્કીમ વ્યાજખોરોના ઝાંસામાંથી વેંડર્સને બચવામાં મદદ કરશે.
આ રીતે કરો અરજી
સૌ પહેલાં અરજદારે આ સ્કીમની અધિકૃત વેબસાઈટ http://pmsvanidhi.mohua.gov.in/ પર જવાનું રહેશે.
અહીં સ્ક્રીન પર હોમ પેજ ખુલશે
તેમાં પ્લાનિંગ ટૂ અપ્લાય ફોર લોન દેખાશે. હવે મોર પર ક્લિક કરો.
તેમાં નિયમો અને શરતો દેખાશે.
આ પેજ પર તમને વ્યૂ અથવા ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરો
અહીં પહેલા પોઈન્ટની નીચે બ્લૂ રંગથી હાઈલાઈટ થશે.
હવે સ્વનિધિ યોજનાનું ફોર્મ ખુલશે. આ ફાઈલ પીડીએફ ફોર્મમાં હશે.