માર્કેટમાંથી તમે જે દવાઓ ખરીદો છો તે બ્રાન્ડેડ હોવાના કારણે ખૂબ મોંઘી થાય છે. પરંતુ આ કંપનીઓના જેનેરિક વર્જન ખૂબ સસ્તા એવામાં ગરીબ લોકોને સસ્તી દવાઓ મળે તેના માટે કેન્દ્ર સરકાર આખા દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર ખોલી રહી છે.
નોકરીમાં કારકિર્દી નથી બનાવવી?
કેન્દ્ર સરકાર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર ખોલી રહી છે
આ યોજના હેઠળ નાગરિકોને મોટાપાયે સ્વરોજગાર કમાવવાની તક
કયા ખુલી રહ્યાં છે PMBJK
કેન્દ્ર સરકારની આ પરિયોજના નાગરિકોને મોટાપાયે સ્વરોજગાર કમાવવાની તક આપી રહી છે. તો તમે પણ જાણી લો કે આ યોજના માટે તમારે કેવીરીતે અરજી કરવાની છે. કેટલું રોકાણ કરવુ પડશે અને કેટલી કમાણી થશે. કેન્દ્ર સરકારે દેશના બધા 734 જિલ્લામાં PMBJK ખોલવાની યોજના બનાવી છે. અત્યારે જે નવી અરજી મંગાવવામાં આવી છે તે 406 જિલ્લાના 3579 બ્લોકમાં PMBJK ખોલવા માટે મંગાવવામાં આવી છે. તમારા જિલ્લામાં કેન્દ્ર ખુલી રહ્યું છે કે નહીં તેની આખી યાદી તમને janaushadhi.gov.in પર મળી જશે.
કોણ કરી શકે છે અરજી
મોદી સરકારની આ યોજના માટે કોઈ પણ બેરોજગાર વ્યક્તિ અરજી કરી શકે છે. એટલું જ નહીં, ગેર સરકારી સંગઠન, સંસ્થાઓ પણ તેના માટે અરજી કરી શકે છે. જ્યારે નીતિ આયોગ દ્વારા પસંદ થયેલા આકાંક્ષી જિલ્લાના કોઈ પણ વ્યક્તિ, મહિલા ઉદ્યમી, દિવ્યાંગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની અરજીની સાથે-સાથે પૂર્વોત્તર, હિમાલય, દ્વીપ પ્રદેશના લોકોને સ્પેશિયલ ઈન્સેન્ટિવ પણ મળશે. જો કે, તેના માટે બી.ફાર્મા અથવા ડી.ફાર્મામાંથી એક ડિગ્રી હોવી જરૂરી છે. જો વ્યક્તિ અથવા સંસ્થાની પાસે જાતે ડિગ્રી નથી તો તેમણે કોઈ પણ એવા વ્યક્તિને નોકરી પર રાખવો પડશે. કારણકે કેન્દ્રની અંતિમ મંજૂરી સમયે ડિગ્રીની સાથે પુરાવા પણ રજૂ કરવા પડશે.
કેટલી છે અરજી ફી
આ યોજના હેઠળ અરજી કરનારા માટે અરજદારને એપ્લિકેશન ફોર્મની સાથે 5000 રૂપિયાની નૉન-રિફંડેબલ ફી આપવી પડશે. જો કે, નીતિ આયોગ દ્વારા પસંદ થયેલા આકાંક્ષી જિલ્લાના કોઈ પણ વ્યક્તિ, મહિલા ઉદ્યમી, દિવ્યાંગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની અરજીની સાથે-સાથે પૂર્વોત્તર, હિમાલય, દ્વીપ પ્રદેશના અરજદારોને આ ફી ચૂકવવી નહીં પડે.