જો તમારું રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું છે અથવા તમારું નામ લિસ્ટમાંથી કાપવામાં આવ્યું છે તો હવે ચિંતા ન કરતાં, કારણ કે મોદી સરકાર આવા લોકોની સમસ્યા દૂર કરવા જઈ રહી છે. રાજ્ય સરકારો દ્વારા નવા રાશનકાર્ડ બનાવવાની પ્રક્રિયામાં કેટલાક લોકોના નામ કાપી કાઢવામાં આવ્યા છે. જેનું નામ લિસ્ટમાંથી કાપવામાં આવ્યું છે તે હવે ફરીથી તેનું નામ એડ કરી શકે છે. કેટલાક કારણોસર તમારું નામ રાશનકાર્ડમાંથી કાપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમારું નામ પહેલાંથી જ બીજા રાશનકાર્ડ સાથે જોડાયેલું છે, આધાર નંબર તમારા રાશનકાર્ડ સાથે જોડાયેલું નથી વગેરે. પણ હવે આના માટે તમે અરજી કરી શકો છો અને રાશનકાર્ડ બનાવી શકો છો. આ સાથે જ તમે લગ્ન પછી પત્ની અથવા બાળકના જન્મ પછી તેનું નામ પણ ઉમેરી શકો છો.
નામ કપાઈ જવા પર આ રીતે બનાવો રાશનકાર્ડ
કેન્દ્ર સરકારે આખા દેશમાં વન નેશન વન રાશનકાર્ડ પોર્ટેબીલિટી સુવિધા લાગુ કરી દીધી છે. અત્યાર સુધીમાં 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ સુવિધામાં આવરી લેવામાં આવ્યા છે. આ સુવિધા દ્વારા હવે ગ્રાહકોને અન્ય રાજ્યોમાં પણ રાશન મળી શકશે. આ માટે હવે તે વ્યક્તિનું એ રાજ્યનો રહેવાસી હોવું જરૂરી નથી. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશના લોકો હવે કોઈપણ રાજ્યમાં સરળતાથી રાશન મેળવી શકે છે.
આ કારણોસર રાશનકાર્ડમાંથી નામ કાપવામાં આવે છે
તમારું નામ પહેલાથી જ બીજા રાશનકાર્ડમાં જોડાયેલું હોય
આધાર કાર્ડનો નંબર તમારા રાશનકાર્ડ સાથે લિંક ન હોવા પર
તમારા ઘરના મોટાનું મોત થઈ ગયું હોય તો પણ રાશનકાર્ડમાંથી નામ કપાઈ શકે છે
આ રીતે તમે ફરીથી રાશન કાર્ડમાં તમારું નામ ઉમેરી શકો છો
જો કોઈ વ્યક્તિનું નામ રાશનકાર્ડમાંથી કાપવામાં આવ્યું છે, આધાર કાર્ડ અને જે રાશનકાર્ડમાં તેનું નામ ઉમેરવાનું છે તેની ફોટો કોપી લઈને નજીકના સીએસસી સેન્ટર અથવા જાહેર સુવિધા કેન્દ્રમાં જઈને પોતાનું નામ ઉમેરી શકે છે. ત્યાંથી તમને જે રિસીપ્ટ મળશે તે જમા કરાવ્યા બાદ રાશનકાર્ડમાં તે વ્યક્તિનું નામ જોડાઈ જશે.
તમે રાશનકાર્ડમાં નવું નામ પણ ઉમેરી શકો છો
તમે તમારા રેશનકાર્ડમાં નવા સભ્યોના નામ પણ ઉમેરી શકો છો. નવા સભ્યોના નામ બે રીતે ઉમેરવામાં આવે છે. પ્રથમ નવા જન્મેલા બાળકનું નામ અને બીજું પત્નીનું નામ પણ એડ કરી શકાય છે.