નાના બાળકોથી લઇને વૃદ્ધો સુધી કેરીની સિઝનની રાહ જોતા હોય છે. આ એક એવું ફળ છે જે બધાને ખૂબ જ ભાવે છે અને એની સિઝન પૂર્ણ થયા પછી પણ લોકો એને ફ્રીઝ કરીને રાખે છે. જેના કારણે આખું વર્ષ તેઓ કેરી ખાઇ શકે. તો આજે અમે તમને જણાવીએ કે કેરીનો રસ ફ્રીઝ કરતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.
પાકી કેરીની છાલ નિકાળીને તેના ટૂકડાં કરી પલ્પ કાઢી લો, શક્ય હોય તો પલ્પ બનાવવામાં પાણી ઉમેરશો નહીં. જેથી સ્ટોર કર્યા બાગ જ્યારે રસ ખાવાનું મન થાય ત્યારે બરફના ટુકડાં કે થોડું પાણી ઉમેરી તે જાડા પલ્પમાંથી જોરદાર રસ નિકાળી શકાય. જાણો આ પલ્પને કેવી રીતે સ્ટોર કરશો.
કેરીના બનાવેલા રસને ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં મૂકો તો જ્યારે ઓછા પ્રમાણમાં નિકાળવો હોય તો મુશ્કેલ બને છે કારણ કે એક વખત ફ્રીઝમાંથી નિકાળ્યા બાદ વધેલો રસ ફરીથી સ્ટોર કરવો યોગ્ય નથી. તેથી ડબ્બામાં ભરવા કરતાં 2-3 વાટકી જેટલા રસને ઝીપલોગ બેગમાં ભરી મૂકવાથી ફ્રીઝરમાં મૂકવાનો સરળ રહે છે. જ્યારે ખાવાનું મન થાય ત્યારે જરૂર મુજબ 1-2 કોથળી કાઢી ઉપયોગમાં લઇ શકો છો.
આ પ્રમાણે બનાવેલા કેરીના રસને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો. પણ એ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો કે એક વખત ફ્રીઝરમાંથી રસની થેલી કાઢ્યા બાદ તેટલી વાપરી જ લેવી. અડધી થેલી વાપર્યા બાદ તેને ફરી વખત ફ્રીઝરમાં મૂકવાની ભૂલ ન કરશો.