ભારતના પડોશી દેશોમાં આર્થિક સંકટની સ્થિતિ છે. શ્રીલંકા બાદ હવે નેપાળમાં આર્થિક સંકટ ઊભું થયું છે, પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ તો મ્યાનમારમાં મિલીટરી શાસન ચાલી રહ્યું છે.
શ્રીલંકા બાદ વધુ એક પાડોશી દેશ આર્થિક સંકટમાં
નેપાળ પણ આર્થિક સંકટના રસ્તે
આગમચેતીના પગલાં રૂપે વિદેશી આયાતો પર લગાવ્યા પ્રતિબંધ
શ્રીલંકામાં ઈકોનોમિકલ ક્રાઇસિસ ના કારણે ખાવાના પણ ફાંફા પડી ગયા છે એ તો હવે લગભગ જુના ન્યુઝ થઈ ગયા પણ ભારતના બીજા એક પાડોશી દેશમાં પણ આવી જ પરિસ્થિતિ શરૂ થવા જઈ રહી છે. આ દેશ એટલે ભારતની ઉત્તરે આવેલ પાડોશી દેશ નેપાળ.
ચીજવસ્તુઓન વધતા ભાવ
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસમાં ઓઈલ એટલે કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે બીજી પણ કેટલીક ચીજો ના ભાવ અચાનક વધી ગયા છે તો અનેક વિદેશી ચીજોની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકાર અઠવાડિયાની એકમાંથી બે રજા કરવાનું વિચારી રહી છે જેના કારણે ઓઈલ બચાવી શકાય
આ બધાના કારણે નજીકના સમયમાં નેપાળમાં પણ શ્રીલંકા જેવી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા છે.
ઉપરાંત નેપાળમાં નજીકના સમયમાં જ ચૂંટણીઓ પણ આવી રહી છે જેના કારણે સત્તા પરિવર્તન થવાનું અથવા રાજાશાહી ફરી લાગુ થવાની શક્યતા પણ છે.
ઇન્ટરનેશનલ લેવલે કોઈ પણ દેશની ઈકોનોમી ત્યારે સધ્ધર અને સ્થિર કહેવાય જ્યારે એ દેશમાંથી થતી આયાત ઓછી અને નિકાસ વધારે હોય. બીજું કે દેશમાં બહારથી આવતું વિદેશી હૂંડિયામણ કેટલું છે એના પર પણ દેશની આર્થિક પરિસ્થિતિનો આધાર રહેલો છે. ભારત જેવા દેશોમાં બહાર રહેતા એન.આર.આઇ લોકો દેશમાં પૈસા મોકલતા હોવાના કારણે ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઘણું વધારે હોય છે. ભારત અનેક ચીજોની આયાત પણ કરે છે. જેના કારણે વિદેશી આવક થતી રહે છે. પરંતુ નેપાળ અને શ્રીલંકામાં મોટા ભાગની આવક પ્રવાસનના કારણે થતી હોઈ તેમની આવકનો મોટો હિસ્સો ટુરિઝમ છે. અને બીજી પ્રોડક્ટ્સ એટલા મોટા પ્રમાણમાં તેઓ નિકાસ કરી શકતા નથી.
શ્રીલંકા જેવી હાલત ન થાય એ માટે અગાઉથી નેપાળમાં કેટલાક પગલા લેવામાં આવી રહ્યા છે જે અંતર્ગત કેટલીક પ્રોડક્ટ્સની આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. જેમાં નોન એસેન્શિયલ અને એસેન્શિયલ એવા બે ભાગ પાડવામાં આવ્યા છે.
32 ઇંચથી મોટા ટીવી, 6000 ડોલર્સથી મોંઘા ફોન, લિકર એટલે કે દારૂ, સિગારેટ્સ, ફોરેનની કાર્સ, બઇક્સ, ડાયમંડ, વિદેશી બ્રાન્ડ ની ચિપ્સ જેવી કે Lays અને કુરકુરે પત્તા, રમકડા વગેરે જેવી ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
સરકારના દાવા મુજબ આ પ્રતિબંધ જુલાઈ મહિના સુધી જ લાગુ રહેશે તેવી શક્યતા છે. પણ નેપાળ જેવો દેશ આ સ્થિતિ સુધી કઈ રીતે પહોંચી ગયો? તેના મુખ્ય ત્રણ કારણો છે. આવો સમજીએ.
1) કોરોના વાયરસ
આપણને બધાને ખબર છે કે દરેક દેશની આર્થિક પરિસ્થિતિ પાયમાલ કરવા માં કોરોના નો મોટો રોલ છે. ભારત કે અમેરિકા જેવી મજબૂત આર્થિક સ્થિતિ ધરાવતા દેશોને કેટલીક ખાસ તકલીફ ન પડે પણ શ્રીલંકા કે નેપાળ જેવા દેશો કે જે વિદેશી નાણું કમાવવા માટે માત્ર ટૂરિઝમ પર આધાર રાખે છે તેઓને કોરોનાકાળમાં મોટો ફટકો પડયો છે.
ટુરિઝમને ફટકો
નેપાળ ની વાત કરીએ તો નેપાળમાં 2019માં 12 લાખ પ્રવાસીઓ આવેલા
જે 2020 માં 2 લાખ 30 હજાર થઈ ગયા હતા.
ત્યાર પચી 2021 માં પ્રવાસીઓની સંખ્યા ઘટીને સીધી 1.5 લાખ થઇ ગઈ હતી.
2) વિદેશમાં રહેતા નેપાળીઓ દ્વારા આવતાં પૈસા
અગાઉ વાત કરી એમ વિદેશમાં રહેતાં નાગરિકો દ્વારા દેશમાં પાછા મોકલતા પૈસા પણ દેશની આર્થિક સ્થિતિ સુધારવા મોટો ભાગ ભજવે છે. પરંતુ કોરોના ના કારણે આ રકમમાં પણ ઘટાડો થયો હતો આશરે 35 લાખ જેટલા નેપાળીઓ વિદેશોમાં વસે છે તેમના દ્વારા મોકલવામાં આવતી રકમમાં 5% જેટલો ઘટાડો થયો હતો.
3) આયાત- નિકાસ રેશિયો
કોઈ પણ દેશનો આયાત-નિકાસના રહેશો એટલે કે તફાવત બહુ જ વધારે હોય તોપણ તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે દેશ પાસે કેટલા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ પડેલું છે એટલે કેટલું ફોરેક્સ રિઝર્વ છે તેના આધારે તેની આર્થિક સ્થિતિ નક્કી થતી હોય છે છેલ્લા કેટલાક સમયમાં નેપાળની મુખ્ય પ્રોડક્ટ એવા ટૂરિઝમ પર તો અસર પડી છે પણ સાથે સાથે વિદેશી થતી આયતો પણ વધી છે. ભારતની વાત કરીએ તો કોરોના બાદ લાગતું હતું કે ભારતમાં પણ ફોરેક્સ રિઝર્વ ઘટશે પણ એવું થયું નહોતું. જ્યારે નેપાલ ના કિસ્સામાં ફોરેક્સ રિઝર્વમાં ૧૮ ટકાનો ઘટાડો થયો હતો.
ફોરેક્સ રિઝર્વ
જુલાઈ 2021
11 બિલિયન ડોલર
માર્ચ 2020
9 બિલિયન ડોલર્સ
આ હિસાબે નેપાળને કોઈપણ સંજોગોમાં આવનારા સમયમાં ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો થાય એ પોસાય એમ નથી એટલા માટે કેટલીક વસ્તુઓની આયાત ઉપર નાછૂટકે પણ પ્રતિબંધ લગાવવો એ જરૂરી બની ગયું હતું નહીં તો આવનારા છ મહિનામાં આ રીઝવ પૂરું થઈ જાય.
4) રશિયા યૂક્રેન યુદ્ધ
નેપાળ નું સૌથી મોટું ઈમ્પોર્ટ એટલે કે આયાત ઓઈલની આયાત છે. રશિયા યૂક્રેન યુદ્ધના કારણે તેને પણ મોટા પ્રમાણમાં અસર થઇ છે. રશિયા યૂક્રેન યુદ્ધના કારણે નેપાળને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે જેમાં મોટા પ્રમાણમાં ડોલર્સ ખર્ચાઈ જાય છે. જે ફરી વિદેશી નાણાંની ઘટ ઊભી કરે છે.
5) ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અને ઉદ્યોગોનો ઓછો વિકાસ
છેલ્લા કેટલાક સમયથી નેપાળમાં રાજકીય અસ્થિરતાને કારણે વિદેશી રોકાણકારો વિશ્વાસ કરી શકતા ન હોવાના કારણે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઘટ્યું છે ઉપરાંત દેશમાં ઔદ્યોગિકરણ પણ ઓછું છે જેના કારણે આયાત નિકાસ કરતા ઘણી વધારે છે.
શ્રીલંકા ની જેમ નેપાળે પણ ચીન જેવા દેશો પાસેથી લોન લઈ રાખી છે. આવનારા સમયમાં નેપાળમાં શ્રીલંકા જેવી જ સ્થિતિ જોવા મળે તો નવાઈ નહીં.
નેપાળ અને શ્રીલંકા જેવા દેશોના કિસ્સામાંથી ભારતે શું શીખવું જોઈએ?
✓ મેક ઇન ઇન્ડિયા કે આત્મનિર્ભર ભારત ને સમર્થન આપવું જોઈએ જેના કારણે ઘણી બધી વસ્તુઓ દેશમાં જ બનશે અને તેને બહારથી આયાત કરવાની જરૂર નહીં પડે અને ઊલટાનું ભારતમાંથી વિદેશોમાં આપણી પ્રોડક્ટ નિકાસ કરી શકાશે જેના કારણે ડોલર્સમાં મોટી આવક થશે.
✓ મોજશોખની કે લક્ઝુરિયસ પ્રોડક્ટ્સ પર ટેક્સ વધારી દેવો જોઈએ અથવા એનો ઉપયોગ ઓછો કરાવવો જોઈએ.
✓ વિદેશી રોકાણ દેશમાં વધે અને વિદેશમાં રહેતા ભારતીયો સમયાંતરે દેશમાં નાણાં મોકલતા રહે તેવા પ્રયત્નો કરવા.
✓ બની શકે ત્યાં સુધી લોન કે સહાય બીજા દેશો પાસેથી પૂછી લેવી અને સ્વનિર્ભર બનવાનો પ્રયત્ન કરવો. પ્રવાસીઓને આકર્ષવા માટે પણ પ્રયત્નો કરવા.
આટલું જ નહીં નેપાળ અને શ્રીલંકામાં આર્થિક સંકટ તો પાકિસ્તાન અને મ્યાનમારમાં પણ અશાંતિ છે. પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ અને મ્યાનમારમાં મિલીટરી શાસન ચાલી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં પણ છેલ્લા ઘણા સમયથી તાલિબાન શાસન હેઠળ સમસ્યા અને અશાંતિભર્યું વાતાવરણ છે.