નાના-મોટા દાંત દુખાવામાં ઘરેલૂ નુસ્ખાનો ઉપયોગ તો તમે બધાએ સાંભળ્યા હશે. પરંતુ શું તમે જાણો છો કે હાર્ટ એટેક જેવી ગંભીર સ્થિતિમાં પણ ઘણી વખત ઘરેલૂ નુસ્ખા કામ આવી શકે છે? જી હાં, તાજેતરમાં એક સ્ટડી પ્રમાણે એવી વાત સામે આવી છે કે લાલ મરચાનું સેવન કરવાથી હાર્ટ એટેક જેવી ખતરનાક બિમારીઓને ટાળી શકાય છે. ચલો જાણીએ કેવી રીતે…
લાલ મરચાનું સેવન કરવાથી હાર્ટ એટેક જેવી ખતરનાક બિમારીઓને ટાળી શકાય છે
પેટ દુખાવા જેવી સમસ્યાઓથી પણ બચાવે છે
શુદ્ધ લાલ મરચુ તમને લિવર કેન્સરથી પણ બચાવે છે
લાલ મરચામાં મળી આવે છે જરૂરી તત્વ…
શોધ પ્રમાણે આ વાત જોવા મળી છે કે માત્ર ૧ લાલ મરચામાં કુલ મળીને ૯૦ હજાર સ્કોવિલ યુનિટ મળી આવે છે. જેનું સેવન કરવાથી ૫૦ ટકા હાર્ટ એટેકના દર્દીનો જીવ બચાવી શકાય છે. લાલ મરચા ઉપરાંત આ જરૂરી તત્વ સ્કૉચ બૉનેટ્સ, આફ્રીકન બર્ડ, હબનેરો, એલપીનો જેવી મરચામાં પણ મળી આવે છે. પરંતુ લાલ મરચામાં એનું પ્રમાણે યોગ્ય રીતે મળી આવે છે.
કેવી રીતે કરવાનો ઉપયોગ?
જે દર્દીને હાર્ટ એટેક આવ્યો છે એને એક ગ્લાસ પાણીમાં ૧ ચમચી લાલ મરચાનો પાઉડર નાંખીને ઓગાળીને પીવડાવવાનો છે. એના માટે દર્દીનું ભાનમાં હોવું ખૂબ જ જરૂરી છે. જો દર્દી ભાનમાં ના હોય તો એની જીભની નીચે તમે એક ચપટી લાલ મરચું રાખી શકો છો. એનાથી થશે એવું કે દર્દીના શરીરમાં લોહી પ્રવાહ કરવા લાગશે. આ ઘરેલૂ નુસ્ખાને અપનાવતી વખતે વધારે મોડું ના કરશો, સાથે સાથે દર્દીને હોસ્પિટલમાં લઇ જવાની તૈયારી પણ કરો.
લાલ મરચાના અન્ય ફાયદા
એટેક ઉપરાંત લાલ મરચુ ઘણા પ્રકારની સ્કીન એલર્જીમાં પણ લાભકારક છે.
ખાવામાં એના ચપટી સેવનથી તમને ફ્લૂ વગેરે સમસ્યાઓથી બચાવીને રાખે છે.
સીમિત માત્રામાં એનું સેવન તમારા દાંત અને પેટ દુખાવા જેવી સમસ્યાઓથી પણ બચાવે છે.
માઇગ્રેન, અર્થરાઇટિસ અને બૉડીની એકસ્ટ્રા ફેટને દૂર કરવામાં પણ લાલ મરચુ ફાયદાકારક છે.
એક બાજુ વધારે સેવન પેટમાં બળતરા પેદા કરે છે, બીજી બાજુ લિમિટમાં એનું સેવન કરવાથી ગેસ્ટ્રિક સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડશે નહીં.