દ્રૌપદી મુર્મૂ રાજકારણમાં આવવા ઇચ્છતા ન હતા. રાજકારણમાં પ્રવેશથી લઇને રાષ્ટ્રપતિ પદ સુધીનો સફર રહ્યો ઘણો સંઘર્ષમય
દ્રૌપદી મુર્મૂ દેશના 15માં રાષ્ટ્રપતિ
દ્રૌપદી મુર્મૂ રાજકારણમાં આવવા માંગતા ન હતા
દ્રૌપદી મુર્મૂનો સંઘર્ષ ભર્યુ જીવન રહ્યું
નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દેશના 15માં રાષ્ટ્રપતિ બન્યા છે. સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન દ્વારા દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા. દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનતા આદિવાસી સમાજમાં ખુશીની લહેર ફરી વળી છે. ક્યાંક પારંપારિક નૃત્ય તો ક્યાંક મિઠાઇઓ વહેચીને જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. પરંતુ શું તમને ખબર છે કે દ્રૌપદી મુર્મૂ રાજનીતીમાં આવવા માગતા ન હતા. તેમના પતિએ પણ કહ્યું હતુ કે આ રાજનીતિ અમારા માટે નથી. ત્યારે આવો જાણીએ દીદી કેવી રીતે રાજનીતીમાં આવ્યા.
આ વ્યક્તિના આગ્રહથી દ્રૌપદી મુર્મૂ રાજનીતિમાં પ્રવેશ્યા
દ્રૌપદી મુર્મૂને રાજકારણમાં લાવવાનો શ્રેય રવિન્દ્રનાથ મહતોને જાય છે. તેમના આગ્રહ પર દ્રૌપદી મુર્મૂને કાઉન્સિલરની ચૂંટણી લડવા માટે સમજાવ્યા હતા. દ્રૌપદી મુર્મૂના પતિ શ્યામ ચરણ મુર્મૂ પણ ઈચ્છતા ન હતા કે તેમની પત્ની રાજકારણમાં આવે, પરંતુ તેમને પણ રવીન્દ્રનાથ મહતોએ સમજાવ્યા હતા.
દ્રૌપદી મુર્મૂએ વર્ષ 1997માં રાજકારણમાં પ્રવેશ્યા
રવિન્દ્રનાથ મહતો ઓડિશાના મયુરભંજ જિલ્લાના ભાજપના જિલ્લા અધ્યક્ષ હતા અને વકીલાત પણ કરતા હતા. આ વિસ્તારમાં તેનું જાણીતું નામ હતું અને તે રાયરંગપુરના વોર્ડ-2ના કાઉન્સિલર પદ માટે દ્રૌપદી મુર્મૂને ચૂંટણી લડવા માંગતા હતી, કારણ કે આ બેઠક એસટી માટે અનામત હતી. વાત વર્ષ 1997ની છે જ્યારે રવીન્દ્રનાથ મહતોએ દ્રૌપદી મુર્મૂને ચૂંટણી લડવા માટે મનાવ્યા હતી.
Standing in the Parliament - the symbol of expectations, aspirations and rights of all Indians - I humbly express my gratitude to all of you. Your trust and support will be a major strength for me to carry out this new responsibility: President Droupadi Murmu pic.twitter.com/3RcGG0Wk5p
રવિન્દ્રનાથ મહતોના પુત્ર અને મયુરભંજના બીજેપી જિલ્લા અધ્યક્ષ વિકાસ મહતોએ એક ખાનગી મીડિયાને જણાવ્યાનુસાર મેડમના પતિ શ્યામ ચરણ પતિ શ્યામ ચરણ મુર્મૂએ તે સમયે કહ્યું હતું કે આ રાજકારણ અમારા માટે નથી. અમે નાના લોકો છીએ અને રાજકારણ મહિલાઓ માટે બિલકુલ સારું નથી.
દ્રૌપદી મુર્મૂ અને રવીન્દ્રનાથ વચ્ચે કાકા-ભત્રીજીનો સંબંધ
દ્રૌપદી મુર્મૂ અને રવીન્દ્રનાથ મહતો વચ્ચે કાકા-ભત્રીજી જેવો સંબંધ હતો. દ્રૌપદી મુર્મૂ દૂરના સંબંધમાં ઓડિશા સરકારમાં પૂર્વ મંત્રી અને સાંસદ કાર્તિક માંઝીની ભત્રીજી થતા હતા. કાર્તિક માંઝી અને રવિન્દ્રનાથ મહતો વચ્ચે સારા સંબંધો હતા. કાર્તિક માંઝીએ જ દ્રૌપદી મુર્મૂનો રવીન્દ્રનાથ મહતો સાથે પરિચય કરાવ્યો હતો અને અહીં જ બંને વચ્ચેના સંબંધો કાકા અને ભત્રીજી જેવા બની ગયા હતા.
मैंने देश के युवाओं के उत्साह और आत्मबल को करीब से देखा है।
हम सभी के श्रद्धेय अटल जी कहा करते थे कि देश के युवा जब आगे बढ़ते हैं तो वे सिर्फ अपना ही भाग्य नहीं बनाते बल्कि देश का भी भाग्य बनाते हैं।
आज हम इसे सच होते देख रहे हैं।
— President of India (@rashtrapatibhvn) July 25, 2022
મુશ્કેલી ભર્યો સફર રહ્યો દ્રૌપદી મુર્મૂનો સફર
દ્રૌપદી મુર્મૂ માટે રાષ્ટ્રપતિ બનવાનો સફર ઘણો લાંબો અને મુશ્કેલ રહ્યો. ઓડિશાના મયૂરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં 20 જૂન 1958નારોજ જન્મ થયો હતો. દ્રૌપદી મુર્મુ આદિવાસી સંથાલ પરિવારના છે અને તેના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ છે.દ્રૌપદી મુર્મુના લગ્ન શ્યામ ચરણ મુર્મૂ સાથે થયા હતા અને તેમને ત્રણ બાળકો (બે પુત્રો અને એક પુત્રી) હતા. દ્રૌપદી મુર્મૂનું અંગત જીવન ઘણી કરૂણાંતિકાઓમાંથી પસાર થયું છે અને વર્ષ 2010માં તેના મોટા પુત્રનું અવસાન થયું હતું. આ પછી, વર્ષ 2013 માં, તેણે તેના નાના પુત્રને ગુમાવ્યો અને વર્ષ 2014 માં તેમના પતિ પણ મૃત્યુ પામ્યા. તેમની પુત્રી ઇતિશ્રીના લગ્ન ગણેશ હેમબ્રમ સાથે થયા છે.