કોરોનાને કારણે લોકોનું જીવન બદલાઈ ગયું છે. આ દરમિયાન માતા પિતા માટે બાળકોનું શિક્ષણ સૌથી મોટી સમસ્યા બની ગયું છે. બાળકોને સ્કૂલે મોકલે તો કોરોનાનો ખતરો છે. પણ ઘરે ઓનલાઈન ક્લાસમાં ભણાવે તો પણ તેમના સ્વાસ્થને જોખમમાં મુકવા જેવુ છે.કેમ કે ઓનલાઈન ક્લાસને કારણે તેમનામાં ચીડિયાપણું, માનસિક સમસ્યાઓ અને આંખનો તાણ જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેને પગલે આરોગ્ય સમસ્યાને ધ્યાનમાં રાખીને માનવ સંસાધન વિકાસ મંત્રાલયે (એચઆરડી) ડિજિટલ શિક્ષણ સંબંધિત જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી છે.
એચઆરડી ડિજિટલ શિક્ષણ સંબંધિત જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી
આનાથી બાળકોના શિક્ષણ પર પણ અસર પડશે
બાળકોના સ્વાસ્થ્યને સૌથી મોટું જોખમ છે
મંત્રાલયની નવી ગાઈડલાઈન મુજબ પ્રી-પ્રાથમિક સ્ટુડેન્ટના ઈ- ક્લાસનો સમય 30 મિનીટથી વધારે ન હોવો જોઈએ. તેમજ ધોરણ 1 થી 8 માટે 2 ઓનલાઈન સેશન હોવા જોઈએ. જેમાં એક સેશન 45 મિનિચનો રાખવો. જ્યારે ધો. 9 થી 12 નાવિદ્યાર્થીઓ માટે 30-45 મિનિટના 3 સેશન્સ રાખી શકાશે.
ડિજિટલ એજ્યૂકેશનએ બાળકો અને માતા પિતાની સમસ્યામાં વધારો કર્યો છે. એમાંય બાળકોને ખૂબ નુકસાન વેઠવું પડી શકે છે. આ અંગે પૂર્વ રાષ્ટ્રપતિ આર.વેંકટરમણ, શંકર દયાલ શર્મા અને પ્રણવ મુખર્જીએ ડોક્ટર રહી ચૂકેલા ડો મોહસિન વાલી સાથે વાત કરી છે અને જાણવાનો પ્રયત્ન કર્યો છે કે બાળકો માટે ઓનલાઇન ક્લાસ કેટલા અને કેવી રીતે નુકસાનકારક છે?
ડો.મોહસીને કહ્યું કે લોકડાઉનને કારણે ઘરમાં બંધ રહેવાથી તમામના માનસ પર અસર પડી છે. અને આ દરમિયાન ઈન્ટરનેટનો ઉપયોગ આડેધડ ગાંડાની જેમ કરવામાં આવ્યો છે. જો વીડિયો અને ઓડિયોની ગુણવત્તા ખરાબ હશે તો તેને એકાગ્રતામાં તકલીફ પડશે. બીજુ કે આ વર્ગો ખૂબ નવા છે. . બાળકો, માતાપિતા અને શિક્ષકો આ માટે તૈયાર નથી. આનાથી બાળકોના શિક્ષણ પર પણ અસર પડશે.
વધુમાં જણાવ્યું હતું કે સતત ઓનલાઈન એજ્યુકેશનતી બાળકોમાં પોસ્ચર એટલે કે બોડી શેપમાં બદવાવ આવશે. તેમને કમર સર્વાઈકલ સ્પાઈન એટલે કે ગરદનના ભાગે, કરોડરજ્જુના સાંધા અને ડિસ્કની સમસ્યા થઈ શકે છે. સતત કી બોર્ડ વાપરવાથી આંગળીમાં પણ સમસ્યા થશે. બાળક કેવી રીતે બેઠો છે, તેના સ્કીનનું કદ કેટલું છે. તે જરુરી છે. તેમજ ઈન્ટરનેટની સ્પીડ કેવી છે કેમ કે તેની એકાગ્રતા ભંગ ન થાય તે અગત્યનું છે. તેમણે કહ્યું કે બાળકોની સ્ક્રીન ભણવા માટેના બ્લેકબોર્ડ જેટલું હોવું જોઈએ. પરંતુ આપણા દેશના બધા માતા-પિતા માટે આ કરવું મુશ્કેલ છે. દેશની ગુરુ શિષ્ય પરંપરાને અસર થશે જેથી એ સંબંધોમાં ફરક પડશે. તેમજ બાળક સમજ્યુ છે કે નહીં તે શિક્ષક નહીં સમજી શકે જેથી તેના અભ્યાસમાં ફરક પડશે.
તેમણે કહ્યું કે આ બધા દિવસોમાં બાળકો ડિજિટલ અભ્યાસ અને હોમવર્ક કરે છે. આવી સ્થિતિમાં તેમનું પુસ્તકોથી અંતર વધી રહ્યું છે. તેથી, લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઘરમાં પૂરી પાડવી જરૂરી છે. આની સાથે, બાળકોમાં વાંચવાની ટેવ પણ જાળવવામાં આવે છે, સાથે સાથે તેઓ પ્રકરણને વધુ સારી રીતે સમજી શકશે.
બિહારના બેગુસરાય જિલ્લા હોસ્પિટલના અધિક્ષક ડો. આનંદકુમાર શર્માએ જણાવ્યું હતું કે નાના શહેરોના માતા-પિતા પાસે સારી ક્વોલીટિના એન્ડ્રોઈડ ફોન ન હોવાથી તેની સ્ક્રીનથી બાળકોના સ્વાસ્થ્ય પર વધુ અસર પડે છે. ઉપરાંત,ઓડિયોની ક્વોલીટી સારી નથી હોતી. જેથી તેને લાંબા સમય સુધી કાન પર રાખવાથી તે ગરમ થાય છે અને તે આરોગ્ય પર ખરાબ અસર કરે છે. બીજું કે મોબાઈલ કે લેપટોપમાંથી નીકળતી લાઈટ બાળકની આંખોને નુકશાન કરશે.
ઓનલાઇન ક્લાસ હાલની મજબૂરી કહો કે ડિમાન્ડ છે. જેથી આ સ્થિતિમાં માતાપિતા માટે તે મહત્વનું છે કે તેઓએ બાળકોના શિક્ષણની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે. તેમને જોવુ પડશે કે લાંબા સમય સુધી સતત કમ્પ્યુટર સ્ક્રીન પર ન બેસે, વચ્ચે બેક અપાવવો પડશે તેમને યોગ અથવા પ્રાણાયામ કરાવવાની ટેવ પાડવી પડશે. જેથી તેઓને માનસિક હતાશા, ચીડિયાપણું અથવા આંખની સમસ્યાથી બચાવી શકાય.