ઝારખંડમાં નવી સરકારના ગઠન માટે પાંચ ચરણોમાં યોજાયેલુ મતદાન શુક્રવારે (20 ડિસેમ્બર 2019)એ પૂર્ણ થઇ ગયું અને સોમવારે ચૂંટણી પરિણામો આવવાના શરૂ થઇ જશે. એક્ઝિટ પોલનું માનીએ તો, ચૂંટણીમાં ભાજપને ઝટકો લાગી શકે છે અને પાર્ટીની સરકાર પણ જઇ શકે છે.
ગઠબંધને આર્થિક મંદી અને વધતી કિંમતો અને બેરોજગારીને લઇને સરકાર પર નિશાન સાધ્યું
સૂત્રો મુજબ ચૂંટણીમાં આગળ નજરે પડી રહેલી કોંગ્રેસ-જેએમએમ ગઠબંધને ઝારખંડમાં એનસીપી પ્રમુખ શરદ પવારની મહારાષ્ટ્ર વાળી ચૂંટણી રણનીતીને અપનાવી. વાત એમ છે કે, ગઠબંધને ચૂંટણી સ્થાનીય મુદ્દા, અર્થવ્યવસ્થા, નોકરીઓમાં મુદ્દા પર લડી અને ભાજપના રાષ્ટ્રવાદ જેવા મુદ્દાથી ખુદને દૂર રાખી.
ભાજપે આ મુદ્દા અપનાવ્યા
વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જમ્મૂ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા અનુચ્છેદ 370ની મોટાભાગની જોગવાઇ દૂર કરવા, રામ મંદિર નિર્માણનો રસ્તો કરવા અને નાગરિકતા સંશોધન કાયદો 2019ને પ્રચારનો પ્રમુખ મુદ્દો બનાવ્યો હતો.
કોંગ્રેસે આ મુદ્દા પર લડી ચૂંટણી
બીજી તરફ કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા (JMM) એ સ્થાનિય મુદ્દા પર સરકારને ઘેરવાની રણનીતિ અપનાવી. ગઠબંધને આર્થિક મંદી અને વધતી કિંમતો અને બેરોજગારીને લઇને સરકાર પર નિશાન સાધ્યું.
રઘુબર દાસ વિરુદ્ધ જબરદસ્ત સત્તા-વિરોધી લહેર
એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ પર છપાયેલા સમાચાર મુજબ, કોંગ્રેસે નિશ્ચિત રૂપે શરદ પવારની મહારાષ્ટ્ર ચૂંટણી રણનીતિને અપનાવી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન શરદ પવારે સફળતાપૂર્વક ભાજપના રાષ્ટ્રવાદથી બચતા સ્થાનીય મુદ્દાઓ પર વ્યાપક સ્તરે પ્રચાર કર્યો હતો. મામલા પર કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા અજય શર્મા કહે છે કે, ભાજપના રાષ્ટ્રવાદના મુદ્દાની વિરુદ્ધ ચૂંટણીમાં સ્થાનીય મુદ્દાને બનાવી રાખવા અમારી તરફથી જાણી જોઇએ આમ કરવામાં આવ્યું.
તેઓએ કહ્યું કે, અમને ફીડબેક મળ્યો હતો કે, ભાજપના મુખ્યમંત્રી રઘુબર દાસ વિરુદ્ધ જબરદસ્ત સત્તા-વિરોધી લહેર છે. અને જો તે અનુચ્છેદ-370, અયોધ્યા, સીએએ જેવા મુદ્દા પર ચૂંટણી લડશે તો આ લહેર વધુ પ્રબળ બનશે. શર્મા કહે છે કે, અમે ભાજપના છટકુંમાં ન ફસાયા અને ચૂંટણી અભિયાનને પૂર્ણ રીતે ઝારખંડ પર કેન્દ્રીત રાખી.