સેન્ટ્રલ બેંકના આ નિયમોના આધારે બેંકો ગ્રાહકોને ફાટેલી નોટોને બદલે રિફંડ આપે છે. ફાટેલી નોટો બેંકમાં બદલી શકાય છે.
જો ભૂલથી 2000 રૂપિયાની નોટ ફાટી જાય તો બેંક તેને બદલી દે છે
બેંકો ગ્રાહકોને ફાટેલી નોટોને બદલે રિફંડ આપે છે
ફાટેલી નોટો બેંકમાં બદલી શકાય છે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ ફાટેલી નોટોના રિફંડ અંગેના નિયમો બનાવ્યા છે. સેન્ટ્રલ બેંકના આ નિયમોના આધારે બેંકો ગ્રાહકોને ફાટેલી નોટોને બદલે રિફંડ આપે છે. ફાટેલી નોટો બેંકમાં બદલી શકાય છે.
ફાટેલી નોટો અંગે લોકોના મનમાં ઘણાં પ્રકારના પ્રશ્નો હોય છે, જેમાંથી એક સવાલ એ છે કે જો 2 હજાર રૂપિયાની નોટ ફાટી જાય તો બદલામાં બેંક કેટલું રિફંડ આપશે? નિયમો અનુસાર, કેટલું રિફંડ આપવામાં આવશે તે તમારી નોટ કેટલી ફાટેલી છે તેના પર નિર્ભર છે.
રિઝર્વ બેંક ઓઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, જો 2000 રૂપિયાની નોટ 88 ચોરસ સેન્ટીમીટર (સીએમ) હશે તો તમને પૂરા પૈસા મળશે, જ્યારે 44 ચોરસ સીએમની અડધી કિંમત મળશે.
આ સાથે, બેંક તમામ પ્રકારની નોટોની આપલે કરવા માટે બંધાયેલી નથી. જો નોટ સંપૂર્ણપણે નાશ થઈ ગઈ હોય અથવા બળી ગઈ હોય, તો પણ બેંકો નોટ બદલવાનો ઇન્કાર કરી શકે છે. જો નોટ નકલી ન હોય તો તેને બદલી શકાય છે. એ પણ નોંધવું કે બેંકો નોટોના બદલામાં કોઈ ફી લઈ શકતી નથી. આ સેવા બેંક દ્વારા વિના મૂલ્યે આપવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, આરબીઆઈએ બેંકોએ સ્પષ્ટ સૂચના આપી છે કે એવા કોઈપણ નોટને સ્વીકારવી નહીં જેને ગ્રાહકે ઇરાદાપૂર્વક ફાડી નાખી હોય. જ્યારે બેંક કાર્યકરો નોટોને કાળજીપૂર્વક જુએ છે, ત્યારે તેમને ખબર પડી જાય છે કે નોટ ભૂલથી ફટી છે કે પછી જાણી જોઈને ફાડવામાં આવી છે