ક્રિસ વિલિયમ્સે તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે દરેક ઈન્ડસ્ટ્રી, કંપની અને ડિપાર્ટમેન્ટમાં પણ અલગ-અલગ જોખમ હોય છે પણ કેટલાક સેક્ટર બીજા અન્ય કરતા વધુ સંવેદનશીલ છે.'
કયા કર્મચારીઓને તેમની નોકરી ગુમાવવાનું સૌથી વધુ જોખમ
ઈન્ડસ્ટ્રી, કંપની અને ડિપાર્ટમેન્ટમાં અલગ-અલગ જોખમ હોય
ત્રણ સૌથી સંવેદનશીલ કેટેગરીમાં છટણીનું જોખમ ઘણું વધુ
આર્થિક મંદીના ભય વચ્ચે, ગૂગલ આલ્ફાબેટ અને માઇક્રોસોફ્ટ જેવી દિગ્ગજ ટેક કંપનીઓએ તેમના હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. જણાવી દઈએ કે 18 જાન્યુઆરીના રોજ માઇક્રોસોફ્ટે તેના વૈશ્વિક કર્મચારીઓના લગભગ 5 ટકા એટલે કે 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. આ સિવાય ગૂગલે હાલમાં જ 12,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો આદેશ આપ્યો હતો. આટલું જ નહીં પણ આ બંને સિવાય અન્ય મોટી કંપનીઓએ પણ છટણી કરી છે.
કયા કર્મચારીઓને તેમની નોકરી ગુમાવવાનું સૌથી વધુ જોખમ
હાલ ચાલતા છટણીના આ યુગમાં માઈક્રોસોફ્ટના હ્યુમન રિસોર્સીઝ ડીપાર્ટમેન્ટેના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ ક્રિસ વિલિયમ્સે જણાવ્યું હતું કે હાલ કયા કર્મચારીઓને તેમની નોકરી ગુમાવવાનું સૌથી વધુ જોખમ છે અને સાથે એમ પણ કહ્યું હતું કે કયા કર્મચારીઓની નોકરીઓ સુરક્ષિત છે. ક્રિસ વિલિયમ્સે તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે દરેક ઈન્ડસ્ટ્રી, કંપની અને ડિપાર્ટમેન્ટમાં પણ અલગ-અલગ જોખમ હોય છે પણ કેટલાક સેક્ટર બીજા અન્ય કરતા વધુ સંવેદનશીલ છે.' આ સાથે જ તેમણે ત્રણ સૌથી સંવેદનશીલ કેટેગરી વિશે પણ જણાવ્યું છે.
કોન્ટ્રાક્ટ વર્કર્સ
વિલિયમ્સે કહ્યું હતું કે 'હાલના આ છટણીના યુગમાં કોન્ટ્રાક્ટ કામદારો તેમની નોકરી ગુમાવવાનું સૌથી વધુ જોખમ ધરાવે છે. કારણ કે કંપની તેમને જરૂરિયાત મુજબ કામચલાઉ ધોરણે એ લોકોને નોકરી પર રાખે છે અને કંપની જ્યારે નાણાકીય મુશ્કેલીઓમાં ફસાઈ તો સૌથી પહેલા સરળતાથી તેમને બહાર કાઢે છે.'
નવા ઈનીશેટિવ સાથે જોડાયેલ કર્મચારીઓ
આ સાથે જ વિલિયમ્સના મત અનુસાર, 'જ્યારે કંપનીઓ તેના સારા તબક્કા દરમિયાન નવા રસ્તા અને નવા કામ કરવાનું શરૂ કરે છે ત્યારે તેઓ તેમની નવી પહેલ માટે કર્મચારીઓને નોકરીએ રાખે છે પણ જ્યારે કંપની આવા કોઈ ખરાબ તબક્કામાંથી પસાર થાય છે ત્યારે એ મુશ્કેલ સમયમાં પોતાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે છે અને એ નવા ઈનીશેટિવમાં નિયુક્ત કર્મચારીઓ પર છટણીનો ખતરો આવી જાય છે.'
ઇવેન્ટ પ્લાનિંગ સાથે જોડાયેલ કર્મચારી
વિલિયમ્સે કહ્યું હતું કે ' જ્યારે કંપનીઓ પોતાને મુશ્કેલ પરિસ્થિતિમાં જાણે છે ત્યારે એમની ઇવેન્ટ અને લક્ઝરી પ્રવૃત્તિઓ ઓછી થઈ જાય છે, આવી સ્થિતિમાં આ વિભાગ સાથે જોડાયેલ કર્મચારીઓ પર નોકરી ગુમાવવાનું સૌથી વધુ જોખમ રહે છે. કારણ કે મંદીના સમયમાં કંપનીઓ ઈવેન્ટ પ્લાનિંગને સંપૂર્ણપણે અવગણે છે.
આ કર્મચારીઓની નોકરી સલામત!
વિલિયમ્સે આ વિશે જણાવ્યું હતું કે, જે કર્મચારી તેમની કંપનીમાં સૌથી વધુ નફાકારક પ્રોડક્ટ બનાવવાના કામમાં લાગેલા હોય છે એમને નોકરી ગુમાવવાનું જોખમ ઓછું હોય છે. આ સિવાય હ્યુમન રિસોર્સ સાથે જોડાયેલા કર્મચારીઓની નોકરી પર ઓછું જોખમ રહેલું છે,કારણ કે છટણી માટે તેમની વધુ જરૂર હોય છે.