દેશમાં લોકડાઉન જાહેર કર્યાને પણ 50 દિવસ થઈ ચૂક્યા છે ત્યારે આ મહામારીએ અનેક લોકોની જિંદગી,રહેણીકરણી પણ બદલી નાખી છે. તેમાં શ્રમિકોની હાલત તો સૌથીવધુ કફોડી છે. પરંતુ મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોના જીવન પર પણ આ મહામારીની કોઈ કમ અસર નથી પડી. મનોચિકિત્સકનું માનીએ તો લોકડાઉનને કારણે માનસિકથી સાથે સાથે ઘણા લોકોના ગૃહસ્થ જીવન પર પણ અસર પડી છે.
જો કે નકારાત્મકતાની સાથે ઘણી એવી સારી બાબત પણ છે જેણે આપણને અરીસો પણ બતાવ્યો છે. હું વાત કરી રહ્યો છું પ્રકૃતિની. લોકડાઉનને કારણે વાતાવરણ સ્વચ્છ થયું છે,નદીઓ સ્વચ્છ થઈ છે. જે ગંદકી સાફ કરવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો તે સફાઈ હવે આપોઆપ જ થઈ ગઈ છે. અને અહીં આપણને પ્રકૃતિ એ જ સંદેશ આપી રહી છે કે તેને જે હાનિ પહોંચી છે તેના માટે આપણે જ જવાબદાર છીએ. એ સિવાય પણ ઘણા પરિવર્તન કોરોનાકાળમાં આવ્યા છે. અને આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન