વિશ્વમાં બહુ ઓછા બાળકોમાં જોવા મળતી ગંભીર બીમારીથી પીડાતા ધૈર્યરાજસિંહ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 10 લાખની સહાયનો ઠરાવ
ધૈર્યરાજસિંહ માટે સરકારે પણ રાહત ફંડમાંથી આપ્યા નાણાં
મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ધૈર્યરાજસિંહ માટે 10 લાખની મદદ
પંચમહાલના ધૈર્યરાજને SMA-1નામની દુર્લભ બીમારી છે
મહિસાગરના બાળક ધૈર્યરાજસિંહની મદદે સરકાર પણ આવી છે. અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ધૈર્યરાજસિંહ માટે 10 લાખની મદદ અપાઈ છે. ધૈર્યરાજસિંહને ખુબ જ મોંઘી ટ્રીટમેન્ટની જરૂરત છે. 22 કરોડ જેટલી માતબર રકમનું ઈન્જેકશનની જરૂરિયાત હોવાથી સામાન્ય પરિસ્થિતિ ધરાવતા પરિવાર માટે આટલી મોટી રકમ એકઠી કરવી અશક્ય છે. જો કે, કેન્દ્ર સરકારે ઈન્જેક્શન પર લાગતા ટેક્સને માફ કરી દીધો છે. આમ છતાં 16 કરોડ જેટલી રકમ ધૈર્યરાજના ઈલાજ માટે જરૂરી છે. ત્યારે સમગ્ર ગુજરાત તેમની મદદે આવ્યું છે. તો આ સાથે ગુજરાત સરકાર પણ મદદે આવી છે.
એક સામાન્ય પરિવાર માટે 16 કરોડનું ઈન્જેક્શન કેવી રીતે શક્ય બને
4 મહિનાના ધૈર્યરાજને મદદની જરૂર છે. આ વાતની જાણ ગામડા-ગામ સુધી પહોંચી ગઈ છે. SMA-1 નામની બીમારી લાખોમાં કોઈ એક બાળકને થતી હોય છે. તો સામાન્ય પરિવારના કોઈ બાળકની આ બીમારી દૂર કરવા માટે 16 કરોડ જેવી મોટી રકમ લાવવી એ અકલ્પનિય છે. જેના માટે સહિયારો સાથ હોવો જરૂરી છે.
દુર્લભ બીમારીથી પીડિત ધૈર્યરાજસિંહ માટે સુરતમાં ફંડ અકત્રિત કરવામાં આવ્યું છે. સુરતનો કિન્નર સમાજ ફરી એકવાર મદદે આવ્યો છે. ઉધના દરવાજા પાસે કિન્નર સમાજ સિગ્નલ પાસે ઉભા રહી ફંડ ઉઘરાવે છે. પંચમહાલના ધૈર્યરાજને SMA-1નામની દુર્લભ બીમારી છે. અને તેની સારવાર માટે ધૈર્યરાજસિંહને ઇન્જેક્શન માટે મોટી રકમની જરૂરિયાત છે.
ધૈર્યરાજના પરિવારજનો મદદ માટે VTV દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. આ અપીલથી પ્રેરાઇને થલતેજમાં વસતા પટેલ પરિવારે ધૈર્યરાજના જીવન માટે દાન કર્યુ છે. કેમ કે થલતેજમાં વસતા સુનિલ પટેલના 24 વર્ષના એકના એક પુત્ર નિશીતનું તાજેતરમાં અવસાન થયું છે.