સંતાન સુખને શાસ્ત્રોમાં ખૂબ મોટું સુખ જણાવવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિ કેટલી વખત પેરેન્ટ્સ બનશે તે હથેળીની રેખાઓને જોઈને જાણકારી મેળવી શકાય છે.
કેટલી વખત છે સંતાન યોગ?
જાણો શું કહે છે હથેળીની રેખાઓ
જાણો સંતાન સુખ વિશેની અમુક વાતો
સંતાન સુખને શાસ્ત્રોમાં ખૂબ જ મોટુ સુખ માનવામાં આવે છે. દરેક પરણિત વ્યક્તિ સંતાન સુખને લઈને ઉત્સાહિત રહે છે. કોઈ વ્યક્તિ કેટલી વખત પેરેન્ટ્સ બનશે તે હથેળીની અમુક ખાસ રેખાઓ દ્વારા જાણકારી મેળવી શકાય છે. હથેળીની રેખાઓને જોઈને ફક્ત ભાગ્ય અને ધન વિશે જાણકારી મેળવી શકાય છે. સાથે જ સંતાન વિશે પણ જાણકારી મેળવી શકાય છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીની કઈ કઈ રેખાઓ અને પર્વત સંતાન સુખ વિશે જણાવે છે તેને જાણીએ....
હથેળીની રેખાઓ અને સંતાન સુખ
જો હથેળીનો શુક્ર પર્વત ઉગી રહ્યો છે તો એક સંતાનની પ્રાપ્તિ હોય છે. ત્યાં જ જો બુધ પર્વત પણ ઉગી રહ્યો છે તો વ્યક્તિ એકથી વધારે વખત પેરેન્ટ્સ બની શકે છે.
જેમની હથેળીમાં સંતાન રેખા જેટલી સ્પષ્ટ અને ઉભરેલી જોવા મળે છે. તેમને સંતાન પાસેથી તેટલો જ વધારે પ્રેમ અને સુખ મળે છે.
જો હથેળીના બુધ પર્વતનું ક્ષેત્ર બિલકુલ પુષ્ટ છે અને અહીં દ્વીપનો ચિન્હ છે તો સંતાન પ્રાપિ માટે શુભ નહીં હોય. આવી હથેળી વાળાને સંતાન સુખમાં મુશ્કેલી આવી શકે છે.
હથેળીમાં શુક્ર અને બુધ પર્વત જેટલા વધારે સ્પષ્ટ બનેલા હોય. પુત્ર પ્રાપ્તિની સંભાવના તેટલી જ વધારે પ્રબળ થઈ જાય છે. જ્યારે રેખા હલ્કી અને એસ્પષ્ટ થવા પર વ્યક્તિને પુત્રી થાય છે.
જો કઈ મહિલાની હથેળીમાં મિડલ અને લિટલ ફિંગરની વચ્ચે ચિન્હ છે તો આ સંતાન સુખમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. એવી સ્થિતિમાં સંતાન સુખમાં મોડુ થઈ શકે છે.
નાની આંગળીની વચ્ચે બુધ-પર્વત પર સંતાન રેખા ઉભરીને આવતી હોય તો આ જગ્યા પર જેટલી રેખા હોય છે તેટલી વખત પેરેન્ટ્સ બનાય છે.
સંતાન રેખા પર તલ અશુભ માનવામાં આવે છે. એવામાં સંતાન સુખમાં સમસ્યા આવે છે. આ ઉપરાંત તૂટેલી સંતાન રેખા મનુષ્યને સંતાન સુખથી વંચિત રાખે છે.
જો સંતાન રેખા નીચેથી ઉપરની તરફ જઈને બે ભાગોમાં વહેચાઈ જાય છે તો સંતાનને વધારે કષ્ટ સહન કરવું પડે છે.