પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ લોકસભાના પરિણામ પર નિવેદન આપ્યું છે. લોકસભાની ચૂંટણીનું પરિણામ 23 મેએ આવવાનું છે. આવો નજર કરીએ કોંગ્રેસના દિગ્ગજોએ ભાજપ- કોંગ્રેસને કેટલી બેઠક અંગે લગાવ્યું અનુમાન.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ લોકસભાના પરિણામ પર નિવેદન આપ્યું છે.. સિબ્બલે કહ્યું કે, કોંગ્રેસ પાસે લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મેળવવાના કોઈ ચાન્સ નથી. પાર્ટીને કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ગઠબંધન કરવું પડશે.
પરિણામોમાં આ વખતે ભાજપને 160 બેઠકો ઓછી મળશે. તો બીજી બાજુ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે મોદી સરકારના કાર્યકાળને ખેડૂતો, યુવાનો અને વેપારીઓ માટે વિનાશકારી ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ વખતે જનતા મોદીને બહારનો રસ્તો બતાવશે.
એક ઈન્ટરવ્યૂમાં સિબ્બલને સવાલ પુછવામાં આવ્યો હતો.કે, કોંગ્રેસ રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી જાહેર કરવામાં ખચકાટ કેમ અનુભવી રહી છે? તેનો જવાબ આપતા સિબ્બલે કહ્યું જો કોંગ્રેસને લોકસભામાં બહુમતી માટે 272 બેઠકો મળશે તો નિશ્વિત રૂપે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રીના ઉમેદવાર જાહેર કરવામાં આવશે..
કારણ કે, તેઓ પાર્ટીમાં નિર્વિવાદીત નેતા છે. બીજી તરફ જો કોંગ્રેસની આગેવાનીવાળા યુપીએને બહુમતી મળશે તો પરિણામો બાદ ગઠબંધન પર વિચાર કરવો પડશે. ત્યાર બાદ નક્કી કરાશે કે આવનારા પ્રધાનમંત્રી કોણ હશે?
કપિલ સિબ્બલને બીજી વખત પૂછવામા આવ્યું કે તેઓ કહી રહ્યાં છે કે કોંગ્રેસને બહુમત નહીં મળે. જેના જવાબમાં સિબ્બલે કહ્યું કે, અમે અમારા જોરે 272 બેઠક નહીં મેળવી શકીએ. ભાજપને પણ 160થી ઓછી બેઠક મળશે.
યુપીએની આગેવાનીમાં ગઠબંધન સરકાર બનશે. તેના માટે અમે ઉત્તરપ્રદેશની વિપક્ષી પાર્ટીઓને પણ મહાગઠબંધનમાં સામેલ કરીશું. 2014માં NCP કે DMK કેમ ન રહ્યું હોય. અમે કર્ણાટકમાં JDS અને બંગાળમાં CPMને પણ અમારી સાથે જોડ્યા હતા.આમ યુપીએ સરકાર બનશે પરંતુ કોંગ્રેસને બહુમતિ નહી મળે તેવુ સિબ્બલે કહ્યું હતું..જો કે મનમોહનસિંહે મોદી સત્તામાંથી બહાર જશે તેવું નિવેદન આપ્યું હતું.