નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણી માટે એક વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે. પીએમ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર સમગ્ર રીતે ચૂંટણીના રસ્તે આવી ગઇ છે. મોદીએ ચૂંટણી કેમ્પેનની શરૂઆત પણ કરી દીધી છે. તેમણે અલગ-અલગ રાજ્યોમાં લોકો સાથે સંવાદ કરવા માટે રેલિઓ પણ શરૂ કરી દીધી છે. ત્યારે પીએમઓએ તમામ મંત્રાલયોને 6 મહિનાની અંદર થનારી પરિયોજનાઓનું રાજ્યપ્રમાણે રિપોર્ટ કાર્ડ માંગ્યું છે જેથી 31 ડિસેમ્બર સુધી ઉદ્ધાટન કરીને ચૂંટણીમાં લાભ ઉઠાવી શકાય.
અંગ્રેજી ન્યૂઝ પેપરના રિપોર્ટ અનુસાર ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખતા પીએમઓએ તમામ મંત્રાલયોને તે પરિયોજનાઓનો વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે જે આગામી 6 મહિનાની અંદર સમગ્રરીતે થઇ રહી છે. પીએમ નરેન્દ્ર મોદી આ પરિયોજનાઓનું ઉદ્ધાટન દ્વારા સત્તામાં વાપસી કરવા માંગે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર મંત્રાલયોએ પરિયોજનાઓના નામ તેના પર થનાર ખર્ચ થનાર રૂપિયામાં કેટલા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવ્યા છે આની તમામ જાણકારી માંગવામાં આવશે. પરિયોજનાઓને શરૂ કરવા માટે તમામ મંજૂરી આપવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં આવાસ અને શહેરી મામલાઓ રોડ પરિવહન રાજમાર્ગો રેલ્વે અને નાગરિક ઉડ્ડયન સહિત કેટલાક અન્ય મંત્રાલયો પર ખાસ જોર લગાવી દીધું છે.
પરિયોજનાઓનું એક વિસ્તૃત વિવરત દેવા માટે સમામ મંત્રાલયોને એક પ્રો ફોર્મા આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે શું પ્રધાનમંત્રી આગેવાની રાખી શકે છે ઉદ્ધાટન કરી શકે છે અને શું દેશને સમર્પિત કરી શકે છે?
આ વર્ષે રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ ત્રણેય રાજ્યો ભાજપ શાસિત છે. ભાજપ આ રાજ્યોમાં વાપસી કરવાની કવાયતમાં લાગેલી છે.
પીએમઓ પણ આ વાતને સમજવા લાગ્યો છે કે ભાજપના નેતૃત્વવાળી એનડીએને લઇને સામાન્ય લોકોની શું ધારણા છે. કોંગ્રેસની આગેવાની વાળી યૂપીએની સત્તા વાળા રાજ્યમાં કેન્દ્રને યોજનાઓ માટે ક્રેડિટ લેવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
યોગીના નેતૃત્વ વાળી યૂપીમાં ભાજપને આ પ્રકારના એક પ્રયાસની જરૂર છે. ભાજપ સરકારનું એક વર્ષ પૂરૂ થયા બાદ પણ કેટલીક પરિયોજનાઓ ચાલી રહી ન હોતી.