પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 ફેબ્રુઆરીના રોજ એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દેશમાં માત્ર 1.5 કરોડ લોકો જ ટેક્સ પે કરી રહ્યાં છે. 130 કરોડની વસ્તી ધરાવતાં દેશમાં માત્ર 1 ટકા લોકો જ ટેક્સ ચૂકવતા હોવા પર પીએમ મોદીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
મોદીએ કહ્યું દેશમાં 1.6 કરોડ લોકો જ ટેક્સ પે કરી રહ્યાં છે
4.3 કરોડ લોકોએ બતાવી 5 લાખથી ઓછી આવક
2018-19માં જીરો ટેક્સવાળા લોકોની સંખ્યા 2.2 કરોડ હતી
જેમાં 20 વર્ષથી વધારે ઉંમરના લોકોની વાત કરીએ તો આ માત્ર 1.6 ટકા જ થાય છે. એટલું જ નહીં વધારે ચોંકાવનારા આંકડા એ છે કે ટેક્સપેયર્સની સંખ્યા વધવાના બદલે એક વર્ષમાં ઘટીને અડધી થઇ ગઇ છે.
એક આંકડાઓ મુજબ નાણાકીય વર્ષ 2018-19માં 3.29 કરોડ લોકોએ ઇન્કમટેક્સ ચૂકવ્યો હતો. પરંતુ 2019-20માં આ આંકડા 55 ટકા ઘટીને 1.46 કરોડ પર આવી ગયો. એવા કયા કારણના લીધે ટેક્સ ચૂકાવનાર લોકોની સંખ્યામાં 1.83 કરોડનો ઘટાડો કેવી રીતે આવ્યો.
ખરેખર તો 2019-20 માટે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલ બજેટમાં મોદી સરકારે 2.5 લાખ થી 5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી આવકવાળા લોકોને ટેક્સમાં છૂટ આપી દીધી હતી.
સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે 2.5 લાખથી લઇને 5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી આવકવાળા લોકોને ઇન્કમ ટેક્સ રિટર્ન તો ફાઇલ કરવું પડશે, પરંતુ ટેક્સ કોઇ ચૂકવવો પડશે નહીં. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના પ્રારંભિક અનુમાન મુજબ ITR ફાઇલ કરનારા દેશના 1.8 કરોડ લોકોએ આ જોગવાઇ હેઠળ પોતાની ટેક્સેબલ આવક જીરો (0) બતાવી છે. એનો મતલબ એ થયો કે બજેટમાં આપવામાં આવેલી છૂટના કારણે મોટી સંખ્યામાં લોકો ટેક્સના ટેબલમાંથી બહાર થઇ ગયા છે.
4.3 કરોડ લોકોએ બતાવી 5 લાખથી ઓછી આવક
રજૂ કરાયેલા આંકડા મુજબ દેશમાં 5.7 કરોડ લોકોએ ITR ફાઇલ કર્યું, જેમાં 4.3 કરોડ લોકોએ પોતાની આવક 5 લાખ રૂપિયા સુધી જ બતાવી છે. આ એ લોકો છે, જેઓએ ITR તો ફાઇલ કર્યું છે, પરંતુ કોઇ ટેક્સ ભર્યો નથી. જેનું મુખ્ય કારણ 2019ના બજેટમાં આપવામાં આવેલી છૂટ છે. 2018-19માં જીરો ટેક્સવાળા લોકોની સંખ્યા 2.2 કરોડ હતી.