દરેક ઘરમાં અનેક દેવી દેવતાઓની મૂર્તિ અને ફોટા રાખેલા હોય છે. મંદિરમાં પૂજામાં રાખેલી મૂર્તિ ઉપરાંત અલગ અલગ રૂમમાં પણ ભગવાનના ફોટા રાખેલા હોય છે. જો કે વાસ્તુશાસ્ત્રમાં આ ચલણને યોગ્ય માનવામાં નથી આવતું. કારણ કે ભગવાનની છબિ કે મૂર્તિ સરખી રીતે ન રાખવામાં આવે તો તેનાથી નકારાત્મકતા વધે છે. જેની અસર ઘરની સુખ-શાંતિ પર થાય છે. એટલા માટે જ એ જાણવું જરૂરી છે કે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કઈ કઈ ભુલ ન કરવી જોઈએ અને ઘરમાં કેવી મૂર્તિઓને સ્થાન આપવું જોઈએ.
– ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપની બેઠેલી મુદ્રાની મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ. ઉપરાંત રાધા કૃષ્ણના યુગલ સ્વરૂપની ઊભી તસવીર કે મૂર્તિ ઘરમાં રાખવાથી લાભ મળે છે.
– જે ઘરમાં એકાક્ષી નાળિયેરની પૂજા કરવામાં આવતી હોય છે ત્યાં લક્ષ્મીજીની કૃપા થાય છે. ત્યાં અન્ન અને ધનની ખામી રહેતી નથી.
– ઘરમાં ક્યારેય શિવલિંગ ન રાખવું ભગવાન શંકરની મૂર્તિ કે ફોટો રાખી શકાય છે.
– પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને પોતાનાપણું જળવાઈ રહે તે માટે રામ દરબારની સ્થાપના કરવી જોઈએ.
– સૂર્ય ભગવાનની ત્રાંબાની આકૃતિ ઘરમાં રાખવી જોઈએ.
– ગણેશજીની એવી મૂર્તિ ઘરમાં રાખવી કે જેની સૂંઢ જમણી તરફ વળેલી હોય. તેમજ તેમની સૂંઢમાં લાડૂ રાખેલો હોય. ગણેશજીની મૂર્તિ ઘરમાં બેઠેલી અને વ્યવસાયના સ્થળે ઊભી હોવી જોઈએ.
– જેના ઘરમાં શંખ હોય છે ત્યાં બધું જ મંગલમય જ થાય છે. જે ઘરમાં શંખની પૂજા થાય છે ત્યાં લક્ષ્મીજી સ્થાયી વાસ કરે છે.
– લક્ષ્મીજી સાથે ધનના દેવતા કુબેરનું પણ પૂજન કરવું જોઈએ. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે.