કેન્સર, હ્રદયરોગ, ડાયાબિટીઝ જેવી બીમારીઓથી રક્ષણ મેળવવુ હોય તો રોજ 25થી 29 ગ્રામ ફાઇબર ખાવાની સલાહ આપવામાં આવે છે. આપણા ખોરાકમાં મહત્ત્વનુ પરિબળ ગણાતુ ફાઇબર શું કામ રોગોથી રક્ષણ આપી શકે છે. શું છે તેના ફાયદા. તેને કઇ રીતે ડાયેટમાં સ્થાન આપી શકાય. છેલ્લા 40 વર્ષમાં 4600 લોકો પર થયેલા 58 ટ્રાયલ અને 185 અભ્યાસ બાદ હવે સાબિત થયું છે કે રોજ કેટલું ફાઇબર લેવું જોઇએ. જે લોકોના ડાયેટમાં 15થી 30 ટકા ફાઇબરનું પ્રમાણ હોય તેનામાં કાર્ડિયો-વેસ્ક્યુલર ડિસીઝ, સ્ટ્રોક, ટાઇપ ટુ ડાયાબિટીસ અને કોલોન કેન્સર જેવા રોગો થવાની શક્યતાઓ ઘટી જાય છે.
ફાઇબરનું કામ શું છે
ફાઇબર એક પ્રકારનું કાર્બોહાઇડ્રેડ છે. તેને આપણું શરીર પચાવી શકતુ નથી એટલે તેમાથી કોઇ પોષકતત્વો મળતા નથી, પરંતુ તમને પોષણ મળવામાં કોઇ વિક્ષેપ ન પડે તેનું ધ્યાન ફાઇબર સારી રીતે રાખે છે. ફાઇબર બે પ્રકારના હોય છે સોલ્યુબલ ફાઇબર અને ઇનસોલ્યુબલ ફાઇબર. સોલ્યુબલ ફાઇબર લોહીમાં રહેલા ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલ લેવલને કન્ટ્રોલ કરવાનુ કામ કરે છે. ઇનસોલ્યુબલ ફાઇબર ઓગળતુ નથી અને તમારી ચયાપચયની ક્રિયાને બુસ્ટ કરે છે. કબજિયાતની સમસ્યા હોય તો ઇનસોલ્યુબલ ફાઇબર ઉપયોગી છે.
શેમાં હોય છે ફાઇબર
આખુ ધાન, કઠોળ, લીલા શાકભાજી, ફળો વગેરેમાં મોટા પ્રમાણમાં હોય છે. બેકરી પ્રોડક્ટ્સ અને પ્રોસેસ્ડ ફુડમાં તેની માત્રા નહીંવત હોય છે. તમારા આહારમાં ફાઇબરનું પ્રમાણ ઓછુ હોય તો ધીમે ધીમે તે વધારો. ફાઇબર લેવાની સાથે યોગ્ય માત્રામાં પાણી પણ પીવુ જોઇએ. ફાઇબર પાણીને શોષે અથવા પાણીમાં ઓગળે પછી જ તેની ઉપયોગિતા શરીરને હોય છે.
આટલું ખાસ કરો
રોજ સવારે કમસે કમ એક સફરજન કે સંતરુ ફરજિયાત ખાવું જોઇએ. તેનુ જ્યુસ નહીં પીવાનુ.
બપોરના લંચમાં કોઇ પણ એક કઠોળનો નિયમિત સમાવેશ કરો.
રોજ ઓછામા ઓછુ એક બાઉલ શાક કે દાળ ખાઇ શકાય.
દિવસમાં એક ટાઇમ આખા ધાનની ખીચડી, ઓટ્સ કે રાઇઝના ફોર્મેટમાં ખાઇ શકાય