ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વેક્સિનના ત્રીજા ડોઝ આપવામાં આવી રહ્યા છે, ત્યારે ઘણાના મનમાં સવાલ થતો હશે કે આ ત્રીજો ડોઝ કેટલો ફાયદાકારક છે.
ભારતમાં બૂસ્ટર ડોઝ અભિયાનની શરૂઆત 10 જાન્યુઆરીથી થઇ ચુકી છે. હાલમાં હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ તથા ૬૦ વર્ષથી અધિક ઉમરના ગંભીર બીમારીઓથી પીડિત લોકોને બૂસ્ટર ડોઝ દેવામાં આવી રહ્યો છે. દુનિયાનાં બીજા અમુક દેશોમાં વયસ્કો તથા બાળકો બંનેને કોરોનાની વિરુદ્ધ વેક્સીનનો ત્રીજો ડોઝ લાગી રહ્યો છે. આ દરમિયાન બ્રિટેનના વૈજ્ઞાનિકોએ એક રીસર્ચમાં બતાવ્યું છે કે બૂસ્ટર ડોઝ કેટલા દિવસો સુધી આપણને કોરોનાથી સુરક્ષા આપવામાં કારગર છે.
યુકે હેલ્થ સિક્યોરિટી એજેંસીની માનીએ તો બૂસ્ટર ડોઝ લાગ્યા પછી આપણને કોરોના સંક્રમણથી 6 મહિનાથી પણ ઓછા સમય સુધી સુરક્ષા મળે છે. પરંતુ કેવળ બે અઠવાડિયા બાદ જ આ સુરક્ષા ઘટીને ૭૦% પર આવી જાય છે. વૈજ્ઞાનિકોના અનુસાર, બૂસ્ટર ડોઝના અસરકારકતામાં ખુબ જ ઝડપથી ઓછી થતી જોવા મળે છે. કેવળ ત્રણ મહિના બાદ જ તેની અસર અડધી થઇ જાય છે. ત્યાંજ 4 મહિના બાદ બૂસ્ટર ડોઝ કોરોના સંક્રમણની વિરુદ્ધ માત્ર 40% જ કારગર રહે છે.
બૂસ્ટર ડોઝ લેવો કેમ જરૂરી?
રિસર્ચમાં સાબિત થયું છે કે બૂસ્ટર ડોઝ લીધા બાદ દર્દીને કોરોના સંક્રમણ ભલે થઇ જાય, પરંતુ તે ગંભીર રૂપ થી બીમાર પડતો નથી. વૈજ્ઞાનિકોના અનુસાર, ફાઈઝર વેકસીનનો ત્રીજો ડોઝ લેવાના બે અઠવાડિયા બાદ જ હોસ્પિટલાઈઝેશનનો ખતરો ૯૫% ઓછો થઇ જાય છે. ચાર મહિના બાદ પણ ખતરો ૮૦% ઓછો જ રહે છે. વૈજ્ઞાનિકોએ મોડર્ના કંપનીના બૂસ્ટર ડોઝ પર પણ રીસર્ચ શરુ કરી દીધું છે. પ્રારંભિક નતીજાઓ ફાઈઝર વેક્સીન પર થયેલા રીસર્ચ જેવાં જ છે.
બીજું શું જાણવા મળ્યું?
ટોરંટો યુનિવર્સિટીની ઇમયુનોલોજીસ્ટ જેનીફર ગોમ્મરમેન કહે છે કે મોજુદ વેક્સીન તથા તેના બૂસ્ટર ડોઝ કોરોના વાઇરસના મૂળ રૂપ થી લડવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. હાલમાં દુનિયાભરમાં તબાહી મચાવી રહેલ ઓમિક્રોન વેરિયંટ તેનાથી અલગ છે. આમાં હવે 50 થી પણ વધારે મ્યુટેશંસ થઇ ચુક્યા છે, જેથી વાઇરસના ગુણ ઘણાં બદલાઈ ગયા છે. બૂસ્ટર ડોઝ પણ આ વેરિયંટ સામે સંપૂર્ણ રીતે અસરકારક નથી.
ગોમ્મરમેનની અનુસાર, બૂસ્ટર ડોઝ લીધાના થોડા સમય બાદ ભલે શરીરમાં એન્ટીબોડીઝ ઓછી થઇ જાય, પરંતુ આ આપણને ગંભીર બીમારીઓથી જરૂર બચાવે છે. જેનું કારણ એ છે કે બૂસ્ટર ડોઝ થી ન કેવળ એન્ટીબોડીઝ, પરંતુ આખી ઈમ્યુન સીસ્ટમ મજબૂત થાય છે. જેનાથી આપણે બીજી બીમારીઓના ચંગુલમાં આવવાંથી પણ બચી શકીએ છીએ.
શું વારંવાર બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે?
એરિજોના યુનીવર્સીટીના ઈમ્યુંનોલોજીસ્ટ દીપ્તા ભટ્ટાચાર્ય કહે છે કે હર 2 થી 3 મહિનામાં બૂસ્ટર ડોઝ લેવો એક સારી સ્ટ્રેટજી નથી. જો આપણને હંમેશા માટે કોરોનાથી છુટકારો જોઈતો હોય, તો આપણો ઉદ્દેશ્ય ઇન્ફેકશન પર રોક લગાવવાની બદલે લોકોને ગંભીર બીમારીઓથી બચાવવાનો હોવો જોઈએ. ભટ્ટાચાર્યના અનુસાર, ઝડપથી જ એવો સમય આવી શકે છે જયારે સરકારો આપણને એક વર્ષમાં એક વાર બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપશે.