ગુજરાતમાં પાંચ નવેમ્બરે ચક્રવાત મહા પ્રવેશ કરે તેવી સંભવાના છે ત્યારે સામાન્ય રીતે પ્રશ્ન થાય કે અરબી સમુદ્રમાં કેમ આટલા વાવાઝોડા સર્જાઈ રહ્યા છે? હવામાન વિભાગ મુજબ ક્લાઇમેટ ચેન્જને કારણે વાવાઝોડા સર્જાઈ રહ્યા છે. સામાન્ય રીતે અરબ સાગરમાં બહુ ઓછાં વાવાઝોડાં સર્જાતાં હોય છે. પણ આ વર્ષે 'વાયુ', 'હિક્કા', 'ક્યાર' અને હવે 'મહા' વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડાં સામાન્ય રીતે ઉત્તરમાં ઓમાન તરફ ફંટાતાં હોય છે.
હિંદમહાસાગરનું તાપમાન વધી રહ્યુ છે
ભારતીય ઉપમહાદ્વીપમાં કેટલા વાવાઝોડા આવ્યા છે
2017માં 'ઓખી' વાવાઝોડાને લીધે 200 લોકોનાં મૃત્યુ થયાં હતાં
આ પહેલાં ચાલુ વર્ષે જ અરબ સાગરમાં 'વાયુ', 'હિક્કા', 'ક્યાર' જેવાં વાવાઝોડાં સર્જાઈ ચૂક્યાં છે. અને હવે અરબ સાગરમાં ચોથું વાવાઝોડું 'મહા' સર્જાયું છે. આ વાવાઝોડાં સામાન્ય રીતે ઉત્તરમાં ઓમાન તરફ ફંટાતાં હોય છે પણ વારંવાર વાવાઝોડા કેમ સર્જાઈ રહ્યા છે તે અંગે પ્રશ્ન ઉઠી રહ્યો છે જેનો જવાબ ગ્લોબલ વોર્મિંગમાં છુપાયેલો છે. પૃથ્વીનું વધતુ જતુ તાપમાન આ વાવઝોડાઓના સર્જન માટે જવાબદાર છે.
બંગાળની ખાડીને બદલે અરબ સાગરમાં કેમ વધારે વાવાઝોડા સર્જાઈ રહ્યા છે?
બંગાળની ખાડી કરતાં અરબ સાગરમાં વધારે વાવાઝોડાં સર્જાતાં નથી. અરબ સાગરના ઠંડા પ્રવાહમાં 50 ટકા વાવાઝોડાં ટકી શકતાં નથી. દરિયાની ઠંડી જળસપાટી વાવાઝોડાની સર્જન માટે અનૂકુળ નથી હોતી. જોકે, વાવાઝોડાની સર્જનપક્રિયામાં ફેરફાર નોંધાયા છે અને ગત વર્ષોના રિસર્ચ અનુસાર અરબ સાગરમાં છાશવારે ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં સર્જાવાં લાગ્યાં છે. વર્ષ 1998થી વર્ષ 2013માં અરબ સાગરમાં પાંચ ભયાનક વાવાઝોડાં સર્જાયાં હતાં.
હિંદમહાસાગરનું તાપમાન વધી રહ્યુ છે
હિંદમહાસાગરનું તાપમાન વધી રહ્યુ છે. ખાસ કરીને અરબ સાગરનું તાપમાન ખૂબ ઝડપથી વધી રહ્યું છે. અરબ સાગર ક્લાઇમેટ ચેન્જને લીધેજ ડિપ ડિપ્રેશન સર્જાય છે અને વધુને વધુ વાવાઝોડાં સર્જાઈ રહ્યા છે. જેને લીધે ભારે વરસાદમાં પણ નોંધાય છે.
દરિયાના જળસ્તરમાં પણ વધારો થયો છે
ધરતીનું તાપમાન ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યુ છે. છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયુ છે. આ સમયમાં કાર્બનડાઇ ઑક્સાઇડના ઉત્સર્જનમાં ઘણો વધારો થવાને કારણે દરિયાના જળસ્તરમાં વધારો થયો છે. સ્કાઇમેટ વેધરના અહેવાલ અનુસાર આખા ભારતમાં સિસ્ટમ સક્રિય બની છે અને મહા વાવાઝોડું પૂર્વ-મધ્ય અરબ સાગરમાં સક્રિય થયું છે.
24 કલાકમાં સામાન્ય વાવઝોડામાંથી ચક્રાવાતમાં તબદિલ થયુ છે મહા
છેલ્લા 24 કલાકમાં આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ, કર્ણાટક, તામિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, ઓડિશાના કેટલાક વિસ્તારો, કોંકણ અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. મધ્યપ્રદેશ, ગુજરાત, આસામ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે. હજુ પણ કેરળ, ગુજરાત, દક્ષિણ મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પશ્ચિ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતના દરિયાકાંઠે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
અગાઉ કયા કયા ખતરનાક વાવઝોડા સર્જાયા હતા
અગાઉનાં વર્ષોની વાત કરીએ તો વર્ષ 2013માં 'ફેલિન' નામના વાવાઝોડાએ ઓડિશામાં તારાજી સર્જી હતી. વર્ષ 2017માં 'ઓખી' વાવાઝોડાને લીધે 200 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને હજારો લોકો બેઘર બન્યા હતા. ઑક્ટોબર 2018માં 'તિતલી' નામના વાવાઝોડાના કારણે ઓડિશામાં હજારો લોકોએ સ્થળાંતર કરવુ પડ્યું હતું.
ભારતીય ઉપમહાદ્વીપમાં કેટલા વાવાઝોડા આવ્યા છે
'ડાઉન ટુ અર્થ'ના અહેવાલ પ્રમાણે છેલ્લી સદીમાં ભારતીય ઉપમહાદ્વીપમાં 1,035 જેટલાં વાવાઝોડાં આવ્યાં છે. જેમાં અડધાથી વધારે પૂર્વ તટ તરફ ટકરાયાં છે. આ વાવાઝોડાંમાંથી 263 નાનાં-મોટાં વાવાઝોડાં ઓડિશાના દરિયાકિનારે ટકરાયાં છે.