કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશમાં સકારાત્મક માનિસકતાનો ખોટો દિલાસો આપવા દેશવાસીઓ સાથે દગો કરવા બરાબર છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઝાટકી
લોકો ક્યાં સુધી કેન્દ્ર સરકારની ક્રૂરતાનો ભોગ બનતા રહેશે
કોરોનાને કારણે પેદા થયેલી સમસ્યાનો હજુ ઉકેલ આવ્યો નથી
દેશમાં દરરોજ કોરોનાના લાખો દર્દીઓ તથા હજારો મોતોની વચ્ચે સરકાર દેશમાં પોઝિટીવ માહોલ બનાવવા માંગે છે અને તેને માટે કાયદેસર અધિકારીઓને તાલીમ પણ આપવામાં આવી છે તેવી મીડિયામાં આવેલી ખબરો બાદ વિપક્ષે સરકાર પર પ્રહારો વધાર્યાં છે.
बार-बार दुखद समाचार आते जा रहे हैं। बुनियादी समस्याएँ अभी तक सुलझाई नहीं गयी हैं।
इस महामारी में केंद्र सरकार की क्रूरता को हमारे देशवासी कब तक झेलेंगे?
આવી એક ખબરને ટાંકતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે સકારાત્મક વિચારસરણીનો ખોટો દિવાસો સ્વાસ્થ્ય કર્મચારીઓ તથા એવા પરિવારો માટે મજાક સમાનન છે જેમણે પોતાના ગુમાવ્યાં છે અને હોસ્પિટલ તથા ઓક્સિજનની અછત વેઠી રહ્યાં છે. રેતમાં માથું છુપાવી દેવું સકારાત્મક વિચાર નથી પરંતુ દેશવાસીઓની સાથે દગાબાજી છે.
લોકો ક્યાં સુધી કેન્દ્ર સરકારની ક્રૂરતાનો ભોગ બનતા રહેશે
રાહુલ ગાંધીએ જણાવ્યું કે લોકો ક્યાં સુધી કેન્દ્ર સરકારની ક્રૂરતાનો ભોગ બનતા રહેશે. કોરોનાને કારણે પેદા થયેલી વિકરાળ સમસ્યાનો હજુ પણ કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે વારેઘડીએ દુખદ સમાચાર આવે છે. મુળભૂત સમસ્યાઓ તો હજુ પણ એવીને એવી ઊભી છે. આ મહામારીમાં કેન્દ્ર સરકારની ક્રૂરતા આપણા દેશવાસીઓ ક્યાં સુધી વેઠતા રહેશે. જેમની જવાબદારી છે તેઓ ક્યાંક છુપાઈને બેઠા છે.