મોટાભાગની ભારતીય ગૃહીણીની આદત હોય છે કે રાત્રે વધેલું ભોજન ફ્રીજમાં મુકી દે છે અને સવારે તેને ગરમ કરીને નાસ્તામાં પીરસે છે પરંતુ આવું ન કરવું જોઇએ.
ફ્રીજમાં મુકેલી વસ્તુ કેટલા કલાક સુધી ખાઇ શકાય
વધારે સમય બાદ ખાશો તો પેટની સમસ્યા સર્જાશે
કાપેલા ફળને પણ 5 કલાક બાદ ન ખાઇ શકાય
જો ખાવામાં દાળ વધી છે અને તેને ખરાબ થવાથી બચાવવા માટે ફ્રીજમાં મુકી છે તો તેનું સેવન 2 દિવસની અંદર કરી લો નહીતર તે પેટની સમસ્યા થઇ શકે છે.
ભાતને આટલા દિવસ ખાઇ શકાય
ઘણીવાર વધેલા ભાતને ફ્રીજમાં મુકી દેવામાં આવે છે અને બીજા દિવસે વઘારીને ખાવામાં આવે છે પરંતુ 2 દિવસની અંદર તમે ભાત નહી ખાઓ તો તમને ફૂડ પોઇઝનીંગ થઇ શકે છે.
કાપેલા ફળ
સામાન્ય રીતે ફળ કાપીને ફ્રીજમાં મુકવામાં આવે છે અને ઠંડા થાય બાદમાં ખાવામાં આવે છે પરંતુ ફળ કાપીને મુકવાથી ફ્રીજમાં બેક્ટેરિયા વધવા લાગે છે. માટે જ્યારે પણ ફ્રીજમાં ફળ કાપીને મુકવામાં આવે ત્યારે તેને ઢાંકીને મુકવા જરૂરી છે, અથવા તો ડબ્બામાં પેક કરીને મુકો.
4 કલાકમાં ખાઇ લો
સફરજન કાપ્યા બાદ તેને જલ્દી ખાઇ લેવું જોઇએ, 4 કલાકની અંદર નહી ખાઓ તો તેના પર કાળું લેયર બની જશે અને કોઇ પણ ફળને કાપીને ફ્રીજમાં રાખ્યા બાદ 6 થી 8 કલાક થઇ જાય પછી ન ખાવું જોઇએ.
ઘઉંની રોટલી 12 કલાકમાં ખાઇ લો
જો તમે ઘઉંની રોટલીને ફ્રીજમાં મૂકી છે તો 12 થી 14 કલાકમાં ખાઇ લેવી જોઇએ નહીતર તમારા પેટમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે.