ભારતમાં ચરસ, અફીણ અને ગાંજા જેવા નાર્કોટિક્સ અને સાયકોટ્રોપિક પદાર્થોને લગતા નિયમો કયા છે? આ નિયમો હેઠળ તમને કેટલી સજા થઈ શકે? જાણો તમામ માહિતી
બૉલીવુડ સેલિબ્રિટી શાહરુખ ખાનના દીકરાને મુંબઈની આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવ્યો છે. તેના વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તેને જેલભેગો કરી દેવામાં આવ્યો હતો. જાણીતું છે કે એક ક્રૂઝ પાર્ટીમાં તેને ડ્રગ્સ સેવનના કેસમાં પકડવામાં આવ્યો હતો.
એનસીબી ના ઓફિસર સમીર વાનખેડે દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
Narcotic Drugs and Psychotropic Substances Act 1985
શું છે NDPS એક્ટ?
નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સટન્સીસ એક્ટ 1985 હેઠળ ભારતમાં કોઈપણ નશાકારક પદાર્થો જેવા કે ગાંજો, ચરસ, ભાંગ, અફીણ, પોપી સ્ટ્રો, MDMA જેવા કેમિકલ સબસ્ટન્સ ગેરકાયદેસર છે.
NCB એટલે કોણ?
આ કાયદાનું પાલન કરાવવાનું કામ કરે છે NCB. એનસીબી એટલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો જેની સ્થાપના 1986 માં થઈ હતી જે દેશમાં નશાકારક પદાર્થોના સેવન અને ઉત્પાદન કે વેચાણ વગેરે પ્રવૃત્તિઓ અટકવવાનું કામ કરે છે. જેના અત્યારના વડા છે સમીર વાનખેડે. જેમને આર્યન ખાનની ધરપકડ કરી હતી.
શું ગેરકાયદેસર?
આ કાયદા હેઠળ ભારતમાં આ પ્રકારના પદાર્થોની ખેતી, ઉત્પાદન, ખરીદ, વેચાણ, સ્ટોરેજ વગેરે ત્મકમ પર પ્રતિબંધ છે. ક્યારેક લાયસન્સ સાથે સ્પેશ્યલ કેસમાં અમુક જ લોકોને પરમીશન આપવામાં આવતી હોય છે. તેના માટે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટની પરમીશન લેવી પડતી હોય છે.
કેટલી સજા?
જો તમે આવા પદાર્થો કન્ઝયુમ કરો છો કે તેના વેચાણ, ખરીદી, ઉત્પાદન વગેરે સાથે સંકળાયેલ છો તો તેની સજા અલગ અલગ છે અને જે વ્યક્તિ આ પદાર્થો સાથે ઝડપાય છે તેને જથ્થાના આધાર પર સજા આપવાની જોગવાઈ છે.
આમાં મુખ્યત્વે ઓછો જથ્થો અને કમર્શિયલ એટલે કે વેપાર માટેનો જથ્થો એવા બે ભાગ પાડવામાં આવ્યા છે.
જેમ કે ગાંજા માટે
ઓછો જથ્થો = 1 kg થી ઓછો
કમર્શિયલ જથ્થો = 20 kg થી વધારે