સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે કે રિયા ચક્રવર્તી જેવી સરેરાશ અભિનેત્રી સતીશ માનશિંદે જેવા હાઈપ્રોફાઇલ વકીલની જેમ ફી કેવી રીતે ચૂકવી શકે છે. તાજેતરમાં જ રિયાના વકીલે આ મુદ્દે એક ખાનગી મીડિયા સમૂહ સાથે વિશેષ વાતચીત કરી હતી.
સતીશ માનશિંદે જાણીતા ક્રાઈમ એડવોકેટ છે
બોલિવૂડના ઘણા સેલેબ્સના લડી ચૂક્યા છે કેસ
રિયા ચક્રર્વર્તીનો પણ કેસ લડી રહ્યાં છે સતીશ
સુશાંત સિંહ રાજપૂત નાં મોતનું રહસ્ય હજી બહાર નથી આવ્યું અને આ મામલો અત્યંત હાઈપ્રોફાઇલ બની ગયો છે. આ કેસની તપાસથી સંબંધિત દરેક પાસા પર લોકોની નજર છે. આ જ કારણ છે કે થોડા સમય પહેલા રિયા ચક્રવર્તી ના વકીલ સતીશ માનશિંદે ની પણ ઘણી ચર્ચાઓ થઈ હતી.
સોશિયલ મીડિયામાં થઈ રહી છે ચર્ચા
ખાસ તો તેમની ફી અંગે ઘણી ચર્ચા થઈ હતી અને સોશ્યલ મીડિયા પર એવું પણ કહેવામાં આવ્યું હતું કે રિયા ચક્રવર્તી જેવી સરેરાશ અભિનેત્રીને સતીશ માનશિંદે જેવા હાઈપ્રોફાઇલ વકીલની ફી કેવી રીતે પરવડી શકે છે. તાજેતરમાં જ રિયાના વકીલે આ મુદ્દે ખાનગી મીડિયા સમૂહ સાથે વિશેષ વાતચીત કરી હતી.
મને અને મારા ક્લાયન્ટને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે : રિયાના વકીલ
સતીશ માનશિંદે એ કહ્યું- છેલ્લા કેટલાક સમયથી હું અને મારા ક્લાયન્ટ ફી માટે મીડિયા અને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છીએ. આ બિલકુલ બિનજરૂરી અને ખોટું છે. ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે હું તેમનો કેસ નિ:શુલ્ક લડી રહ્યો છું, આ પણ સાચું નથી. ફીનો મામલો મારા અને મારા ક્લાયન્ટ વચ્ચેનો છે અને સોશિયલ મીડિયા પર જે રીતે મારા પર સતત હુમલો કરવામાં આવી રહ્યો છે, હું તે મીડિયા ગૃહોને એટલું જ કહેવા માંગુ છું કે તમે ખુશ છો.
આ અગાઉ સતીશ માનશિંદે એ સુશાંત કેસ અંગે બનેલી મેડીકલ ટીમની રચના અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું- 'સુશાંત કેસની મેડિકલ ટીમનું નેતૃત્વ કરનારા AIIMS ના ડોકટર સુધીર ગુપ્તાએ ફોટોગ્રાફ્સના આધારે 200 ટકા નો કરેલો ઘટસ્ફોટ એ ખૂબ જ જોખમી ટ્રેન્ડ છે. તપાસને ન્યાયી અને છેડછાડ મુક્ત બનાવવા માટે CBI એ નવું મેડિકલ બોર્ડ બનાવવું જોઈએ.
સતીશ માનશિંદે સંજય દત્ત અને સલમાન ખાનનો કેસ પણ લડી ચૂક્યા છે
નોંધનીય છે કે સતીશ માનશિંદે પ્રખ્યાત ક્રાઈમ એડવોકેટ છે અને તે બોલિવૂડ ના સર્કલ્સ માં ખૂબ લોકપ્રિય છે. અહેવાલો અનુસાર, 1993 માં મુંબઇ બ્લાસ્ટ કેસમાં સતીશ માનશિંદે સંજય દત્ત ના બચાવ પક્ષના વકીલ હતા અને દત્તને જામીન અપાવી હતી. સંજય દત્ત જ નહીં, સતીશ માનશિંદે સલમાન ખાન ને પણ એક કેસમાં જામીન અપાવી ચૂક્યા છે. રિપોર્ટ્સ અનુસાર, સલમાનના ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં સતીશ માનશિંદે તેને જામીન અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.