ભાજપ અત્યારે દેશમા અને દુનિયામાં સૌથી મોટી પાર્ટી કે દેશમાં સૌથી મજબૂત પાર્ટી હોવાનો દાવો કરતી હોય પરંતુ ભાજપની ઉપર હંમેશા સંઘ છે તે હકીકત છે.. છેલ્લા કેટલાક દિવસોથી સંઘપ્રમુખ સમયાંતરે નામ લીધા વગર સમાજ અને સરકારની આંખ ઉઘડે એવી ટકોર કરતા રહે છે. તાજેતરમાં જ એક કાર્યક્રમમાં સરસંઘચાલકે આંબેડકરના નિવેદન ટાંકીને કહ્યું કે દેશમાં હવે જે કંઈ થાય તેના માટે અંગ્રેજો જવાબદાર નથી. કોઈ માને કે ન માને પરંતુ વાત તો સાચી છે.. દેશ આઝાદ થયે તો સાત દાયકાથી વધુ સમય થઈ ગયો, દેશનુ પોતાનુ બંધારણ છે એટલે વારંવાર અંગ્રેજો આમ હતા તેમ હતા એ પ્રકારની વાતો કરવી આપણને પોષાય નહીં.. સંઘપ્રમુખે જે નિવેદન ટાંક્યુ તેના સૂચિતાર્થ શું નિકળે છે, વર્તમાન પરિપ્રેક્ષમાં તે કઈ રીતે બંધબેસતુ છે, આ જ વિષય પર છે આજનું મહામંથન