સામાન્ય રીતે લોકો ઇન્શ્યોરન્સ મુશ્કેલીના સમયમાં સહારો મળી રહે તે માટે લેતા હોય છે પણ આપણે ભારતીયો ઇન્શ્યોરન્સ ટેક્સ બચાવવા માટે કરતા હોઇએ તેવું લાગી રહ્યુ છે દેશમાં નિયમિત પ્રીમિયમ ભરવા બાબતો ચોથાભાગની રકમ સાવ નકામી ચાલી જાય છે. આ કારણે દેશમાં ઇન્શ્યોરન્સ ખરીદવાવાળા લોકોનો પરિસ્ટેન્સી રેશિયો ખૂબ નીચો છએ. પર્સિસ્ટેન્સી રેશિયો એવા પોલિસીધારકોનો આંકડો છે જેઓ ઇન્શ્યોરન્સ ખરીદ્યા પછી પણ એક વર્ષ સુધી નિયમિત પ્રીમિયમ ભરે છે.
તમને વિશ્વાસ નહી આવે કે દેશની મોટાભાગની ઇશ્યોરન્સ કંપનીઓના ગ્રાહકો પૈકી 25% ગ્રાહકો એક વર્ષમાં જ પોલિસીનું પ્રીમિયમ ભરવાનું બંધ કરી દે છે જે પછી એક વર્ષની પોલિસી લેપ્સ થવાથી વીમા ધારક પોતાની તમામ રકમ ગુમાવી દે છે એટલે કે તેને ભરેલા પહેલાના પ્રીમિયમ એક પણ રૂપિયા પરત નથી મળતા કેમકે ઇન્શ્યોરન્સ કંપનીઓ આ રકમમાંથી કમિશન સહિત અન્ય ચાર્જ કાપી લે છે.
નાણાકીય વર્ષ 2016-17માં સરકારી પોલિસી કંપની LICએ 22178.15 કરોડની રેગ્યુલર પ્રીમિયમ પોલિસી વેચી હતી. આ આંકડો દેશની સમગ્ર ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના 44% છે. જો તેમાં 25% લેપ્સ થઇ જતી પોલિસીનો અંદાજ લેવામાં આવે તો આ વર્ષ દરમિયાન દેશવાસીએએ રૂ 5000 કરોડ LIC પાસે એમ જ છોડી દીધા છે.
પોલિસી ધારકો માટે વ્ચચેથી પોલિસી છોડી દેવાનું મુખ્યકારણ એ પણ છે કે પછીથી તેમને લાગે છે કે તેઓ ખોટી પોલિસી લઇને ફસાઇ ગયા છે. એટલે કે કંપનીઓ અને એજન્ટ ઘણી વખત ખોટા વાયદાઓ કરીને પોલિસી વેચી દે છે. પરંતુ પાછળથી જ્યારે પોલિસીધારક પૂછપરછ કરે છે ત્યારે તેણે ખ્યાલ પડે છે કે પોતે ખોટી રીતે ફસાઇ ચૂક્યો છે તેથી તેનું પ્રીમિયમ ભરવાનું બંધ કરી દે છે.
જ્યારે ભારતમાં તેટલું પૂરતુ ન હોય તેમ જ લોકો બધા જ પ્રીમિયમ ભરે છે તેઓ પણ પોતાની પોલિસી અંગે પરિવારજનોને ક્યારેય વાત નથી કરતા જેના કારણે આજની તારીખે પણ ઇન્શ્યોરન્સ કંપનીઓ પાસે 15000 કરોડ રૂપિયાએ રીતે પડેલા છે જાણે તેના કોઇ દાવેદાર જ નથી.