લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ઉત્તરપ્રદેશ કેટલું મહત્વનું છે? આ વખતે ભાજપને 2014નું પુનરાવર્તન કરવું મુશ્કેલ છે. કારણ કે, 2014માં ભાજપને કુલ 3.5 કરોડ મત મળ્યા હતા અને 80માંથી 73 સીટ મેળવી હતી. તો જોઇએ આ ગણિતમાં કે આ વખતે ભાજપ કેટલી બેઠકો કવર કરી શકે છે.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાયે છે તેમ તેમ તમામ પક્ષો પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તો આજે અમે તમને જણાવશું યૂપીનું ગણીત કે, ઉત્તરપ્રદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે કેટલું મહત્વનું છે.
હાલ પ્રિયંકા ગાંધી યૂપીમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. એસપી-બીએસપીનું મજબૂત ગઠબંધન છે. તો ક્યાંકને ક્યાંક યૂપીની કેટલીક પ્રજા ભાજપથી નારાજ પણ છે. ત્યારે આ વખતે ભાજપને 2014નું પુનરાવર્તન કરવું મુશ્કેલ છે. કારણ કે, 2014માં ભાજપને કુસ 3.5 કરોડ મત મળ્યા હતા અને 80માંથી 73 સીટ મેળવી હતી.
મોદી લહેરના કારણે એસપી, બીએસપી અને કોંગ્રેસનો સફાયો થઇ ગયો હતો અને એસપીને 2 કરોડ મત અને 5 બેઠક પર જીત મેળવી. તો બીએસપીને 1.5 કરોડ મત મળ્યા અને એક પણ બેઠક મળી નહતી. તો કોંગ્રેસને 1 કરોડ મત મળ્યા અને પરંપરાગત 2 બેઠક અમેઠી અને રાયબરેલીની સીટ પર જીત મેળવી હતી.
ત્યારે જો 2019માં પણ 2014નું પુનરાવર્તન થાય તો SP અને BSP ગઠબંધનનેકુલ 3.5 કરોડ મળે એટલે BSP-SP ગઠબંધનને 41 બેઠક મળી શકે છે. જ્યારે ભાજપની 36 બેઠક ઘટી અને 37 પર પહોંચી શકે છે. જો કે કોંગ્રેસને કોઇ ફાયદો થાય નહીં કોંગ્રેસને માત્ર 2 બેઠક જ મળી શકે છે.