કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ હવે તમે પણ સરળતાથી તમારા વ્યવસાયની શરૂઆત કરી શકો છો. આ યોજના હેઠળ લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર લોન આપે છે.
મોદી સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના
10 લાખ સુધીની મળશે લોન
જાણો કોણ લઇ શકે છે આ લોન
ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ તમે 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. રસપ્રદ વાત એ છે કે, તમારી અરજીના 7 થી 10 દિવસની અંદર, લોનની રકમ ઉપલબ્ધ છે. 2015 માં શરૂ થયેલી આ યોજના અંતર્ગત સરકારે 2020-21 સત્રમાં 14 ઓગસ્ટ 2020 સુધી 48145.27 કરોડ રૂપિયા જાહેર કર્યા છે.
કોઇપણ ગેરંટી વગર સરકાર આપે છે લોન
પ્રધાનમંત્રી મુદ્રા યોજના(PMMY)નું પૂરું નામ માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ રિફિન્સન્સ એજન્સી છે. મુદ્રા યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ અંતર્ગત સરકાર લોકોને કોઈ ગેરંટી વગર લોન આપે છે. ઉપરાંત, તેમની પાસેથી કોઈ પ્રોસેસિંગ ચાર્જ લેવામાં આવતો નથી. એટલું જ નહીં, જો લોન લેનાર વ્યક્તિ લોનની રકમ ચુકવવામાં 5 વર્ષ અને તેનાથી વધુનો સમય લઈ શકે છે.
મુદ્રા યોજના અંતર્ગત ત્રણ પ્રકારની લોન ઉપલબ્ધ છે.
- શિશુ મુદ્રા લોન - આ કેટેગરીમાં, તમે તમારો વ્યવસાય શરૂ કરવા માટે 50,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો.
- કિશોર મુદ્રા લોન - જો આ કેટેગરી હેઠળ તમારો ધંધો છે પરંતુ તમે તેને એસ્ટાબ્લિસ કરી શક્યા નથી, અને જો તમે હવે તેને ઉભા રાખવા માંગતા હો, તો તમે 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો.
- તરુણ મુદ્રા લોન - મુદ્રા યોજનાની આ કેટેગરી હેઠળ, મહત્તમ લોન ઉપલબ્ધ છે. આ અંતર્ગત તમે તમારો વ્યવસાય વધારવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો.
જાણો શું છે વ્યાજદર
પ્રધાનમંત્રી યોજના (PMMY) અંતર્ગત દરેક વર્ગમાં જુદા જુદા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યા છે. વળી, તે એ પણ નિર્ભર કરે છે કે લોન લેનાર વ્યક્તિ કેવા પ્રકારનો વ્યવસાય કરે છે. જો કે, આમાં લઘુતમ વ્યાજ દર 12% છે. તે જ સમયે, જો તમે તરુણ મુદ્રાની લોન લો છો, તો તમારે 16% સુધીનું વ્યાજ ચૂકવવું પડશે.
કોણ લઇ શકે છે આ મુદ્દા લોન યોજનાનો લાભ?
આ યોજનાનો લાભ કોઇપણ કોર્પોરેટ માટે નહીં પરંતુ નાની સંસ્થાઓ અને વ્યક્તિઓ પોતાના કારોબારને સ્થાપિત કરવા માટે લઇ શકે છે. આ યોજના અંતર્ગત પ્રોપરાઇટરશિપ ફર્મ, સર્વિસ સેક્ટરનો નફો, દુકાનદાર, શાકભાજી અને ફ્રુટના વેચાણ કર્તા, મશીન ઓપરેટર, ટ્રક, કાર ચાલક, નાના ઉદ્યોગો, હોટલ માલિક, ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ઉદ્યોગ અને ખાદ્ય પ્રસંસ્કરણ એકમ આ લોનનો લાભ લઇ શકે છે.