નામ કોઈ પણ વ્યક્તિના માનસિક અને શારીરિક સંરચનાને વ્યક્ત કરે છે. ફક્ત નામથી કોઈ વ્યક્તિના જન્મ જન્માંતરને જાણી શકાય છે. નામથી જ વ્યક્તિના સ્વભાવ, આકાર, રૂપ અને રંગ તથા ગુણ પણ નક્કી થાય છે. નામ વ્યક્તિના ભાગ્ય પર સીધી અસર કરે છે. તો જાણો નામકરણમાં કઈ ભૂલો કરવાથી બચવું જરૂરી છે.
નામકરણ સમયે ન કરો આ ભૂલો
નામની વ્યક્તિના ભાગ્ય પર થાય છે સીધી અસર
કર્મ અને સંસ્કારોનો ખેલ છે નામકરણ
નામ પાછળ શું છે રહસ્ય
વ્યક્તિનું કોઈ વિશેષ નામ ફક્ત સંયોગ નથી. આ તેના કર્મ અને સંસ્કારોનો ખેલ છે. જે નામથી તમે દુનિયામાં ઓળખાઓ છો તે નામ તમારું નસીબ નક્કી કરે છે. જીવનમાં સારું આકર્ષણ, સંબંધ અને ઉતાર ચઢાવ પણ નામ પર નિર્ભર કરે છે. ઈશ્વરના કોઈ સ્વરૂપની તરફ આકર્ષણ હશે અને તમે આધ્યાત્મિક હશો કે ભૌતિક. આ પણ નામ સાથે જ જાણી શકાય છે.
શું નામ સાચું અને ખોટું હોય છે?
નામ સાચું કે ખોટું હોતું નથી, કેમકે તે તમને તમારા સંસ્કારોથી મળે છે.જો નામનો પ્રભાવ નકારાત્મક સંસ્કાર વ્યક્ત કરે છે તો સંસ્કારોને સારા કરવાની જરૂર છે અને સાથે જ નકારાત્મક સંસ્કારના નામને બદલી દેવાની જરૂર રહે છે.
નામ અને સંસ્કારને છે સીધો સંબંધ
જો નામનો પ્રભાવ સંસ્કારને અનુરૂપ છે તો તમારા સંસ્કારોને બદલીને નામના અનુરૂપ કરોતમે તમારા નામને અનુરૂપ સ્વભાવ રાખો છો તો તેના સારા પરિણામ મળી શકે છે. જો નામ સ્વભાવથી ઉલટું હશે તો જીવનમાં સંઘર્ષ વધી શકે છે.
નામ રાખતી સમયે આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી
નામનો અર્થ સરળ અને ઉત્તમ હોવો જોઈએ. રાશિના નામાક્ષર પૂરતું નામ ન હોવું જોઇએ. નામ એ અક્ષરથી રાખો જે ગ્રહ કુંડળીમાં મજબૂત હોય. નામને હંમેશા સારી રીતે બોલો. તમારી જન્મતિથિ અને ભાગ્યના અનુસાર નામનો સ્પેલિંગમાં પરિવર્તન કરી શકો છો. તે પણ ક્યારેક તમારા માટે ફળદાયી રહે છે.