ભારતીય સ્ટેટ બેંક(એસબીઆઈ) પોતાની તમામ રિટેલ લોનની રિસ્ટ્રક્ચરિંગ માટે ડિજિટલ પ્લેટફોર્મ શરુ કરવાની છે. અંગ્રેજી અખબારના જણાવ્યાનુંસાર આ પોર્ટલના માધ્યમથી ગ્રાહક લોનની રિસ્ટ્રક્ચરિંગ માટે અરજી કરી શકે છે. જેમાં રિસ્ટ્રક્ચરિંગ માટે તેની યોગ્યતા જોવાશે. 24 સપ્ટેમ્બર સુધીમાં તે આવવાની આશા છે.
આ પોર્ટલના માધ્યમથી ગ્રાહક લોનની રિસ્ટ્રક્ચરિંગ માટે અરજી કરી શકે છે
પોર્ટલ પર રિસ્ટ્રક્ચરિંગ માટે તેની યોગ્યતા જોવાશે
24 સપ્ટેમ્બર સુધીમાં તે આવવાની આશા છે
આમાં સૂચનો આપવામાં આવશે. ગ્રાહકો જાણી શકશે કે તે યોગ્ય છે કે કેમ. આનો સમય 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધી હોઈ શકે છે. એસબીઆઈના ગ્રાહકોની સંખ્યા 2 કરોડ છે. આ દેશની સૌથી મોટી બેંક છે. જોકે બેંક કોર્પોરેટ અને એમએસએમઈ ગ્રાહકો પાસેથી લોન રિસ્ટ્રક્ચરિંગ અરજી બ્રાન્ચોમાં સ્વીકારવામાં આવશે.
એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે અમારી પાસે 30 લાખ હોમ કસ્ટમર છે. જો કોઈ પોતાની યોગ્યતા ચેક કરવા ઈચ્છે તો આ સંપૂર્ણ ઓટોમેટિક છે. અમે આ પ્રક્રિયા મેન્યૂઅલી નથી કરી શકતા. સિસ્ટમ તમારી હાલની ઈન્કમ તથા આગલા કેટલાક મહિનાની અપેક્ષિત આવક ચેક કરશે. જેના આધારે તે 12 મહિનાથી 2 વર્ષ સુધીના મોરેટોરિયમની સલાહ આપશે. અમારી યોજના 22-24 સપ્ટેમ્બર સુધીમાં શરુ કરવાની છે.
રિસ્ટ્રક્ટરિંગ લોનના રિપેમેન્ટનો સમય વધારી શકાય છે. આ ઉપરાંત બેંક દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોના વ્યાજ દેનદારીની ફ્રીક્વન્સીમાં ફેરફાર કરી શકે છે. દરેક મામલા અલગ હોય છે. રિસ્ટ્રક્ચરિંગનો વિકલ્પ સાવ છેલ્લે પસંદ કરવામાં આવે છે. આવું ત્યારે કરવામાં આવે છે જ્યારે લોન લેનારા તરફથી ડિફોલ્ડરનું જોખમ હોય. કોરોનાને કારણે એવી સ્થિતિ છે કે લોન ભરનારાની ક્ષમતા પર અસર પડી છે.
જૂનના અંત સુધીમાં લોન બુકિંગનો દસમો ભાગ મોરેટોરિયમ હેઠળ હતો. મેની સરખામણીમાં આને 21.8 ટકા ઘટાડવામાં આવ્યો છે. રિટેલ સેગમેન્ટમાં લગભગ 90 લાખ કસ્ટમરે મોરેટોરિયમ લીધું છે. આનાથી 6.5 લાખ કરોડ રુપિયાની રકમ જોડાયેલી છે. બેંકિંગ સેક્ટર પર નજર રાખનાર વિશ્લેષકોનું અનુમાન છે કે રિસ્ટ્રક્ચરિંગ માટે ઘણી ડિમાન્ડ આવવાની છે.