અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની મોત બાદ કેટલાંય પ્રકારના સવાલ ઉઠી રહ્યાં છે અને એક પછી એક નવી વાતો સામે આવી રહી છે. હવે આ કેસ પોલીસ માટે પણ એક કોયડો બનતો જઈ રહ્યો છે પરંતુ ચાહકો પણ તેની મોતને લઈને અલગ અલગ પ્રશ્ન પર તપાસની માંગ કરી રહ્યાં છે.
સુશાંતસિંહ રાજપૂતના નિધનને લઇને મોટો ખુલાસો
વિકિપીડિયા પર સુશાંતસિંહના નિધન પહેલા અપડેટ થઇ જાણકારી
વાયરલ થઇ ટ્વીટ
એક બાજુ ઍક્ટરની મોત પર લોકોનું માનવું છે કે નેપોટિઝમથી તંગ આવીને સુશાંતે સુસાઈડ કરી લીધું હોય. તેના ફૅન્સ એ પણ આરોપ લગાવી રહ્યાં છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરાઈ છે. આ મામલાની બારિકાઈથી તપાસ કરવા માટે CBI તપાસની માંગ કરવામાં આવી રહી છે.
Wikipedia પર શું સુશાંતના મોત પહેલા અપડેટ થઈ ગઈ માહિતી
મીડિયામાં આવતી ખબરો અનુસાર એવું પણ જાણવા મળી રહ્યું છે કે 14 જૂન સવારે 9 થી 9.30ની વચ્ચે સુશાંતની આત્મહત્યા વિશેની માહિતી વિકિપીડિયા પેજ પર અપડેટ કરી દેવાઈ હતી. જ્યારે સુશાંતના સુસાઈડની ખબર 14 જૂને બપોરે 1 વાગે બહાર આવી હતી. સુશાંતના ફૅન્સ સોશ્યલ મીડિયા પર તે IP એડ્રેસ પણ શૅર કરી રહ્યાં છે જેનાથી તે માહિતી અપડેટ થઈ હોય. હવે આ વાત ઝડપથી ફેલાઈ રહી છે અને એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે સુશાંત સિંહના મોત પાછળ મોટું તરકડ રચાયું હતું. જેની માટે હવે ફૅન્સ CBI તપાસની માંગ સરકાર પાસે કરી રહ્યાં છે.
How could this be possible.A person adding to his Wikipedia page that he died by suicide at 9.08 am.That means someone already knew it before his death that he will commit suicide..
There is something fishy..CBI needs to investigate..#AmitShahDoJusticeForSSRpic.twitter.com/4wXXxMVGnb
જો કે હજુ આ વાતમાં કેટલો દમ છે અથવા તો શું ખરેખર સુશાંતના મોતની ખબર આવે તે પહેલાં જ વિકિપીડિયા પર માહિત અપડેટ થઈ ગઈ હતી? આવામાં હાલ તો અલગ અલગ ક્યાસ લગાવી રહ્યાં છે અને વિકિપીડિયાના સ્ક્રીનશોટ્સ સોશ્યલ મીડિયામાં ધૂમ વાયરલ થઈ રહ્યાં છે.
શેખર સુમને પણ CBI તપાસની માંગ કરી
ફૅન્સની વધથી જતી માંગને જોતા હવે તેની સાથે અભિનેતા શેખર સુમન પણ નજર આવ્યાં હતાં અને તેમના સમર્થનમાં ઉતર્યા હતાં.
How could this be possible.A person adding to his Wikipedia page that he died by suicide at 9.08 am.That means someone already knew it before his death that he will commit suicide..There is something fishy..CBI needs to investigate..#AmitShahDoJusticeForSSR@Neil_Panchtilakpic.twitter.com/n4qB1yOKPk
સુશાંત સિંહની મોતને મામલે CBI તપાસને લઈને શેખર સુમન એક ઑનલાઈન ફોરમ બનાવ્યા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવાની તૈયારીમાં છે. જ્યારે સામાન્ય પ્રજાએ ટ્વિટર પર સુશાંતને ન્યાય અપાવવાનું અભિયાન છેડી દીધું છે. જ્યારે તેના કેટલાંક ફેન્સે પોતાના ફેવરિટ ઍક્ટર માટે દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ ન્યાય માટે અપીલ કરી છે.