સિદ્ધપુર શહેરમાંથી હજુ પણ પીવાનાં પાણીની પાઈપ લાઈનમાંથી અવશેષો મળી રહ્યા છે. ત્યારે આ મામલે તટસ્થ તપાસ થાય તે માટે પૂર્વ આરોગ્ય મંત્રી દ્વારા આ બાબતે SIT નું ગઠન કરવાની મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ઉચ્ચસ્તરીય તપાસ માટે SIT નું ગઠન કરવાની કરી રજૂઆત
સિદ્ધપુર શહેરમાં થોડા સમય પહેલા શહેરમાં પીવાના પાણીની પાઈપ લાઈનમાંથી મૃતદેહ મળવા મામલે ચકચાર મચી જવા પામી છે. ત્યારે પાણીની પાઈપ લાઈનમાંથી મળી આવેલ મૃતદેહ સિદ્ધપુર શહેરમાં રહેતી લવીના નામની યુવતિનાં હોવાનું સાબિત થયા બાદ યુવતિનાં અવશેષોનાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
થોડા દિવસ પહેલા ખોપડી જેવા અવશેષો મળતા ફરી શહેરવાસીઓ ફરી ચિંતીત
સિદ્ધપુર શહેરમાં પીવાના પાણીની પાઈપ લાઈનની સફાઈ કર્યા બાદ ફરી પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે રવિવારે અચાનક સાંજે મહેતાઓળ વિસ્તારમાં સફાઈ કર્યા બાદ પ્રેશરથી પાણી છોડાતા ખોપડી જેવા અવશેષો મળી આવતા લોકોમાં ફરી ચિંતાના વાદળો છવાઈ ગયા હતા.
ઉચ્ચસ્તરીય તપાસ માટે SIT નું ગઠન કરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત
આ બાબતે પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે સિદ્ધપુર ખાતે બનેલ બનાવ દરમ્યાન મૃત્યું પામનાર યુવતી દ્વારા આત્મહત્યા કરવામા આવી છે કે પછી હત્યા બાદ મૃતદેહને સગેવગે કરવા માટે કોઈ અસામાજિક તત્વોએ એનો ઉપયોગ કર્યો છે. તેની ઉચ્ચસ્તરીય તપાસ માટે SIT નું ગઠન કરી પ્રજામાં વિશ્વસનીયતા ઉભી થાય તે કરવા માટેની રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે.
કંપનીને કામ આપવા સંદર્ભે સ્પષ્ટ અભિપ્રાય ન હોવા છતાં કામ આપવામાં આવ્યું.
વધુમાંં તેઓએ લખેલ પત્રમાં સિદ્ધપુર નગરપાલિકાએ 15 માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂ સેલેસ્ટીઅલ વેસ્ટ મેનેજમેન્ડ એન્ડ સેનિટેશન પ્રા.લી. નામની એક કંપનીને કામ આપ્યું છે. કુલ 94 લાખની રકમનાં આ કામમાં કારોબારી કમિટીએ જે નિર્ણય કર્યો તે ઠરાવમાં આ કંપનીને કામ આપવા સંદર્ભે સ્પષ્ટ અભિપ્રાય ન હોવા છતાં એને કામ આપવામાં આવ્યું છે. એવી પણ રજૂઆતો છે. જો આ પ્રકારની ગેરરીતિઓ થઈ હોય તો પણ યોગ્ય નથી.