કોરોનાના સંકટમાંથી નિકળવામાં ભારત માટે ફિલ્ડ હોસ્પિટલ મોટી ભૂમિકા ભજવી શકે છે.
ભારત માટે ફિલ્ડ હોસ્પિટલ મોટી ભૂમિકા ભજવી શકે
ભારતમાં પણ હોસ્પિટલ બનાવવામાં આવ્યા હતા પણ સંખ્યા ઓછી હતી
યુએઈ સહિત મિડલ ઈસ્ટના અનેક દેશોએ બનાવ્યા ફિલ્ડ હોસ્પિટલ
ભારત માટે ફિલ્ડ હોસ્પિટલ મોટી ભૂમિકા ભજવી શકે
દેશના તમામ રાજ્યોમાં બેડ ખુટ્યા સહિતની અનેક અવ્યવસ્થાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે એક્સપર્ટ મહામારી પર નિયંત્રણ માટે નવા રસ્તા શોધી રહ્યા છે. મહામારી વિશેષજ્ઞ પરંપરાગત રસ્તાઓ ઉપરાંત અનેક નવી સૂચનો કર્યા છે. તેવામાં કોરોનાના સંકટમાંથી નિકળવામાં ભારત માટે ફિલ્ડ હોસ્પિટલ મોટી ભૂમિકા ભજવી શકે છે.
યુએઈ સહિત મિડલ ઈસ્ટના અનેક દેશોએ બનાવ્યા ફિલ્ડ હોસ્પિટલ
એક ન્યૂઝ પેપરમાં 2 એક્સપર્ટ્સે એક લેખમાં જણાવ્યું છે કે ભારતને અત્યારે ફિલ્ડ હોસ્પિટલનુ વલણ અપનાવવું જોઈએ. તેવામાં હોસ્પિટલ જલ્દી બનાવી શકાય છે જેનાથી અન્ય ગંભીર બિમારીગ્રસ્ત લોકોની સમસ્યા પણ ઓછી થશે. યુએઈ સહિત મિડલ ઈસ્ટના અનેક દેશોએ ફિલ્ડ હોસ્પિટલ બનાવી ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
ભારતમાં પણ હોસ્પિટલ બનાવવામાં આવ્યા હતા પણ સંખ્યા ઓછી હતી
ભારતમાં કોરોનાની પહેલી લહેરમાં આવી અસ્થાયી હોસ્પિટલોનું નિર્ણાણ કરવામાં આવ્યુ હતુ. જો કે મિડલ ઈસ્ટની ફિલ્ડ હોસ્પિટલમાં સુવિધાઓ વધારે રાખવામાં આવી હતી. તેવામાં સુનિયોજિત હોસ્પિટલો શહેરના બહારના વિસ્તારમાં થોડાક દિવસની અંદર તૈયાર કરી શકાય છે. તેવામાં સામાન્ય હોસ્પિટલો પર ભારણ ઘટશે. અને શહેરમાં સંક્રમણનો ડર પણ.
દિલ્હીમાં નવી કોવિડ ફેસિલિટી બનાવવામાં આવી રહી છે
આ દરમિયાન ભારતમાં કોરોનાની સારવાર માટે ડીઆરડીઓ તરફથી દિલ્હીમાં નવી કોવિડ ફેસિલિટી બનાવવામાં આવી રહી છે. આ ફેસિલિટી બન્યા બાદ કોરોનાની સારવાર માટે 500 બેડ મળશે. સાથે રક્ષામંત્રીએ ડીઆરડીઓને લખનૌમાં પણ અસ્થાયી હોસ્પિટલ બનાવવાના નિર્દેશ આપ્યા છે. 500 બેડ્સ વાળા હોસ્પિટલમાં ડીઆરડીઓના ડોક્ટર્સ અને સ્ટાફ ઉપરાંત આર્મ્ડ ફોર્સ અને કેન્દ્રીય પોલીસદળના ડોક્ટર્સ પણ તૈનાત કરાશે. જો ગત વર્ષની વાત કરીએ તો 2020માં સેને આને અર્ધસેનિક દળોનાડોક્ટરો અને મેડિકલ સ્ટાફની સાથે મળીને 1 હજાર બેડના આવા હોસ્પિટલો બનાવવામાં આવ્યા હતા. જેમાં 500 બેડમાં આઈસીયુ સુવિધા હતી.
મોટી સંખ્યામાં લોકોની જિંદગી બચાવી શકાય
અંગ્રેજી અખબારના એક લેખમાં ભારતમાં કોરોનાની બીજી લહેર એટલી પ્રચંડ છે કે આવા ફિલ્ડ હોસ્પિટલોની વધારે સંખ્યામાં જરુર છે. સામાન્ય હોસ્પિટલો પર પડેલા ભારણને ફિલ્ડ હોસ્પિટલના માધ્યમથી ઓછો કરી શકાય છે અને મોટી સંખ્યામાં લોકોની જિંદગી બચાવી શકાય છે.