દુનિયાભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે અને દરરોજ અનેક લોકોના મોત થઇ રહ્યા છે. પ્રથમ લહેરમાં આ બીમારી માત્ર વૃદ્ધો માટે જ જીવલેણ સાબિત થઇ રહી હતી પરંતુ બીજી લહેરમાં યુવાનો અને બાળકો ઝપેટમાં આવી રહ્યા છે.
મહામારી વચ્ચે આવ્યા મહત્વના સમાચાર
14 સ્ટ્પ્સ છે કોરોનાના દર્દી માટે ઉપયોગી
પહેલા દિવસથી જ ધ્યાન રાખનાર દર્દી ઝડપથી થઇ શકે છે કોરોના મુક્ત
પરંતુ લોકો સમજી સકતા નથી કે, ક્યારે અને કેવી રીતે આ જીવલેણ બીમારી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે. ત્યારે કેટલાક સ્ટેપ્સ દ્વારા સમજી શકાય છે કોરોના વાયરસ કેવી રીતે કામ કરે છે.
પ્રથમ દિવસ-
સામાન્ય તાવ આવે છે સાથે જ ગળામાં ખરાશ અને શરીરમાં સામાન્ય થાક જોવા મળે છે.
બીજો દિવસ -
તાવમાં વધઘટ થાય છે પરંતુ ગળાની ખરાશ સૂકી ખાંસીમાં પરિણામે છે. માંસપાશિયોમાં દુખાવો થાય છે. આવા સમયે સલાહ આપવામાં આવે છે કે, કોરોના ટેસ્ટ કરાવવામાં આવે. જો નેગેટિવ રિપોર્ટ આવે છે તો સેલ્ફ આઇસોલેશનની જરૂર પડે છે.
ત્રીજો દિવસ-
બીજા દિવસની જેમ જ સામાન્ય સ્થિતિ જોવા મળે છે. તાવ ઓછો થાય છે એટલે કેટલાક લોકો ઘરની બહાર એવું વિચારીને નીકળે છે કે, હવે ચિંતા નથી પરંતુ તે ઘાતક સાબિત થાય છે.
ચોથો દિવસ-
તાવ બીજી વખત આવે છે. સૂકી ઉધરસ વધે છે. ગળામાં દુખાવો શરૂ થાય છે. મોટામાં છાલા અને માથામાં દુખાવો વધવા લાગે છે.
પાંચમો દિવસ -
તેનાથી સ્થિતિ વધુ બગડે છે, સૂકી ઉધરસના કારણે છાતીમાં દુખાવો થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. સામાન્ય કામ કર્યા બાદ પણ ભયંકર થાક લાગે ત્યારે સમજવું કે કોરોનાએ પોતાની પક્કડ જમાવી છે.
છઠ્ઠો દિવસ-
તાવ 99થી ઉપર જાય છે, શ્વાસ લેવામાં સમસ્યા, તમે આસપાસની ચીજો ભૂલવા લાગો છો. ધબકારા વધી જાય છે અને બોલવાથી ઉધરસ આવવા લાગે છે.
સાતમો દિવસ-
છાતીમાં ખૂબ જ દુખાવો થવા લાગે છે. તાવ વધે છે કારણે ઓક્સિજનની ઓછી થવા લાગે છે. શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે. ખૂબ ઠંડી સાથે હોઠ વાદળી થવા લાગે છે. ઉભા થવાની હિંમત થતી નથી. આ દિવસ સૌથી નિર્ણાયક દિવસ કહેવાય છે. જે લોકો નબળા છે, આ સ્થિતિ બાદ સ્થિતિ વધુ વણસે છે અને ઇમ્યુનિટી ઓછી થવા લાગે છે.
આઠમો દિવસ -
આરોગ્યની રીતે નબળા લોકોની સમસ્યામાં વધારો થાય છે કારણ કે, સંક્રમણ ઓક્સિજનના સપ્લાય પર પ્રહાર કરે છે. ફેફસામાં પાણી ભરાવાનું શરૂ થાય છે. તાવ ભલે ન હોય પરંતુ છાતીનું સંક્રમણ ન્યૂમોનિયામાં પરિણમે છે અને ઓક્સિજન સપ્લાય પર અસર પડે છે.
નવમો દિવસ-
લોહીમાં ઓક્સિજનના અભાવને કારણે ન્યુમોનિયા વધુ વણસે છે. હ્રદય રોગ અને ડાયાબિટીસના દર્દીઓના સૌથી હાલ સૌથી વધુ ખરાબ હોય છે, કારણ કે, તેમનું શ્વસન પ્રક્રિયા થવા લાગે છે.બીમાર લોકોના શરીરના ભાગો આ દિવસોમાં કામ કરવામાં નિષ્ફળ થવાનું શરૂ કરે છે.
દશમો દિવસ-
ઓક્સિજનની ઉણપ દેખાતા દર્દીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની નોબત આવે છે. જો કોરોનાનો દર્દી પહેલા દિવસથી જ ધ્યાન રાખવામાં આવે તો 88 ટકા લોકોને હોસ્પિટલ જવાની જરૂર પડતી નથી. પરંતુ ગંભીર બીમાર બનેલા લોકોના અન્ય અંગો પણ આ સંક્રમણની ઝપેટમાં આવે છે અને વધુ ખરાબ થવા લાગે છે અને આ કારણે તેને ICUમાં રાખવાની નોબત આવે છે.
અગિયારમો દિવસ-
જેમની ઇમ્યૂનિટી મજબૂત છે. આવા દર્દીઓ ઓક્સિજન સપ્લાય યથાવત હોવા અને દવાઓના બળ પર સંક્રમણ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ જેમની ઇમ્યૂનિટી નબળી છે અને હ્રદય રોગનો શિકાર થયેલા લોકોને ન્યૂમોનિયાને કારણે ફેફસા કામ કરવા પર અસમર્થ થઇ જાય છે.
બારમો દિવસ-
જે લોકોની સારી ઈમ્યૂનિટી છે, દવાઓના દમ પર કોરોના સંક્રમણ ઓછા કરવા આ દિવસે દર્દીઓ હોસ્પિટલથી પરત ઘરે આવે છે પરંતુ જેમના ફેફસા પર સંક્રમણનો ફેલાવો વધુ થયો છે, તેમને વેન્ટિલેટર પર રાખવાની જરૂર ઉભી થાય છે. મગજ અને ફેફસા સુધી ઓક્સિજન પહોંચી શકતો નથી અને સ્થિતિ વધુ ગંભીર બને છે.
તેરમો દિવસ-
ખાસ કરીને સામાન્ય કોરોના સંક્રમણ ધરાવતા લોકો આ દિવસ બાદ ક્વોરન્ટાઇન ખતમ કરી શકે છે પરંતુ સંક્રમણનો પ્રોન રહી ચૂક્યો હોત તેમણે સાવધાન રહેવું જોઇએ. બીજી તરફ ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓની સ્થિતિ વધુ ગંભીર બને છે અને અન્ય બીમારીઓનો પણ જે ભોગ બન્યા છે તેના લીધે લોકોના મોતનો આંકડો વધે છે.
ચૌદમો દિવસ-
WHO કહે છે કે, 14 દિવસના સમયગાળામાં કોરોના વાયરસ માત્ર એવા લોકોને જ મુક્ત કરે છે જેઓ સમયસર દવા લેતા હોય છે અને પ્રિકોશન રાખતા હોય છે.