વૈજ્ઞાનિકોના એક નવા અધ્યયનમાં જાણવા મળ્યુ છે કે કોરોના વાયરસનું બદલાઈ રહેલું રુપએ એવા રોગ પ્રતિકારક પદ્ધતિ સાથે સંબંધ ધરાવે છે જે તેને દિશા સૂચવે છે અને જે તેને નબળુ પાડવામાં મદદરુપ થાય છે પણ વાયરસ ફરી પાછો ઉથલો મારે છે. આ શોધ કોવિડ 19ને ખતમ કરવા અને નવી રસી બનાવવામાં મદદ રુપ થઈ શકે છે. બ્રિટનની યુનિ ઓફ બાથ કે એલન રાઈસ સહિતના અનુસંશોધનકર્તાઓનું કહેવું છે કે જ્યારે તમામ જીવો રુપ પરિવર્તન કરે છે. ત્યારે આ પ્રક્રિયા સામાન્ય અને આકસ્માક હોય છે.
તમામ જીવો રુપ પરિવર્તન કરે છે
કોરોનાના કેસમાં રુપ પરિવર્તનની ઘટના આકસ્મિક ન હોય એ શક્ય છે
આ શોધ નવી કોરોનાની રસી માટે મદદરુપ સાબિત થઈ શકે
અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના કેસમાં એવુ બની શકે કે રુપ પરિવર્તનની ઘટના આકસ્મિક ન હોય તથા હ્યુમન બોડિની રોકપ્રતિકારક શક્તિ તેને નબળુ પાડવા માટે તેનું રુપ બદલી રહી હોય. નવ કોરોના સાર્સ કોવ-2 સાથે જોડાયેલ પત્રિકા મોલીક્યૂલર બાયોલોજી એન્ડ ઈવોલ્યૂશનમાં પ્રકાશિત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ વિશ્વભરમાંથી 15000થી વધારે વાયરસના જીનોમનું સંકલન કરી રિસર્ચ કર્યું છે જેમાંથી 6 હજાર થી વધારેમાં તેના બદલતા રુપની ઓળખ થઈ છે. યૂનિવર્સિટી ઓફ બાથના મિલનર સેન્ટર ફોર ઈવોલ્યૂનના ડાયરેક્ટર લોરેન્સ હર્સ્ટને કહ્યું કે આપણે વાયરસનું રુપ બદલી તેના પર અટેક કરી શકીએ છીએ. અનુસંધાનમાં જોવા મળ્યું કે ઉદ્વિકાસના ક્રમમાં પ્રાકૃતિક ચયન અથવા યોગ્યતમની જીતના સિદ્ધાંત હેઠળ કોરોના વાયરસના રુપ પરિવર્તનની પ્રક્રિયા વિરુદ્ધ ફરી ઉથલો મારે છે. આ શોધ નવી કોરોનાની રસી માટે મદદરુપ સાબિત થઈ શકે છે.
વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. વિશ્વમાં કુલ 1 કરોડ 56 લાખ 41 હજાર કેસ છે. કુલ 95 લાખ 30 હજાર લોકો સાજા થયા છે. જ્યારે વિશ્વમાં કુલ 6 લાખ 35 હજાર લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 2.75 લાખ નવા કેસ નોંધાયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 48થી વધુ કેસ નોંધાયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 69 હજારથી વધુ કેસ આવ્યા છે. અમેરિકામાં 69116, બ્રાઝિલમાં 58080 નવા કેસ નોંધાયા છે. ભારતમાં 48446, રશિયામાં 5848 નવા કેસ સામે આવ્યા છે. દ.આફ્રિકામાં 13104, મેક્સિકોમાં 6019 નવા કેસ, ઈરાનમાં 2621 અને પાકિસ્તાનમાં 1763 નવા કેસ આવ્યા છે.