કોવિડ-19 મહામારી વધવાની સાથે સંશોધનકારોએ એ જાણવાનું શરૂ કર્યુ છે કે આ વાયરસ કેવીરીતે આપણા શરીરને પ્રભાવિત કરે છે. મહામારીના પ્રારંભમાં હાર્ટ એટેક, હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી બિમારીઓને કોવિડના ગંભીરરૂપ ધારણ કરવા માટે અને મોત સાથે જોડવામાં આવ્યું હતું.
કોરોના સંક્રમણથી હાર્ટને નુકસાન થવાની શક્યતા
કોરોનાથી શરીરના આ ભાગમાં થશે નુકસાન
હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો ઉભો થવાની શક્યતા
કોરોનાથી હાર્ટને નુકસાન
હવે આપણને ખબર પડી છે કે કોરોના વાયરસ અસંખ્ય પદ્ધતિથી આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ હાર્ટને પ્રભાવિત કરી શકે છે અને સીધી હાર્ટ સંબંધી બિમારીઓનું કારણ બની શકે છે. આ સિવાય ફાઈઝર અને મોડર્ના જેવી રસીઓથી પણ હાર્ટમાં સોજો થયો હોવાની વાતો સામે આવી છે. પરંતુ આવુ ખૂબ ઓછા જોવા મળ્યું છે.
હાર્ટને કેવીરીતે નુકસાન પહોંચાડે છે?
સાર્સ-કોવ-2 વાયરસ સીધા શરીર પર આક્રમણ કરી શકે છે. જેનાથી સોજો આવે છે. આ હાર્ટને પ્રભાવિત કરી શકે છે. જેનાથી હાર્ટના સ્નાયુઓ અને બહારની બાજુ સોજા આવે છે. જેને માયોકાર્ડિટિસ અને પેરિકાર્ડિટિસ કહેવામાં આવે છે. કોરોનાથી આવેલા સોજામાં લોઠીની ગાંઠો પણ થઈ શકે છે. જેનાથી હાર્ટ અને મગજની ધમનીમાં અવરોધ ઉભો થઈ શકે છે, જેના પરિણામે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ ઉભો થઈ શકે છે.
કોરોનાથી શરીરમાં કયા-કયા નુકસાન થાય છે?
કોરોનાથી હાર્ટના ધબકારા અસામાન્ય થવા, પગ અને ફેફસામાં લોહી જામી જવુ અને હાર્ટમાં નુકસાન થવાની શક્યતા પણ રહે છે. કોરોના હાર્ટમાં સોજો લાવે છે અને સ્નાયુઓમાં કેવીરીતે નુકસાન પહોંચાડે છે, તે અંગેની માહિતી હવે સ્પષ્ટ થઈ રહી છે. કોરોનાની ઝપેટમાં આવનારા લગભગ 10-30 ટકા લોકોમાં લોન્ગ કોવિડ લક્ષણ જોવા મળ્યાં છે. 3700 બિમાર દર્દીઓ પર કરવામાં આવેલા એક અભ્યાસ દરમ્યાન મોટાભાગના 90 ટકાથી વધુ લોકોએ જણાવ્યું કે, કોરોના સંક્રમણ થયા બાદ સંપૂર્ણ રીતે સ્વસ્થ થવામાં 8 મહિનાથી વધુ સમય લાગે છે.