25 વર્ષ જૂની પ્રાઇવેટ એરલાયન જેટ એરવેઝ હાલ પૂરી રીતે દેવામાં ડૂબેલી છે. એના કારણે એરલાયનની ઉડાનો પણ બંધ કરી દેવામાં આવી છે. જો કે જેટ એરવેઝનું કહેવું છે કે ઉડાનને અસ્થાઇ રૂપથી રોકવામાં આવી છે અને કંપની આ સંકટથી બહાર આવવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે.
એરલાયન્સથી જમની પર આવ્યા બાદ આશરે 22 હજાર કર્મચારીઓની સાથે હજારો હવાઇ યાત્રીઓને પણ અસર થઇ છે. ફ્લાઇટ કેન્સ થવાના કારણે યાત્રીઓ વળતરની માંગણી કરી રહ્યા છે. જો તમે પણ જેટ એરવેઝથી તમારી હવાઇ યાત્રા બુક કરી હતી તો તમે કેટલીક સરળ રીકે રિફંડ ક્લેમ કરી શકો છો.
જેટ એરવેઝ એરલાયને પોતાની છેલ્લા ઉડાન 17 એપ્રિલે ભર અને બીજા જ દિવસથી યાત્રીઓની તમામ યાત્રાઓ રદ થવાની સૂચના પણ જારી કરી દેવામાં આવી હતી. જે યાત્રીઓએ ટિકીટ બુક કરાવી હતી, એમને ઇમેલ અને એસએમએસ દ્વારા જાણકારી આપી દેવામાં આવી હતી. ઇમેલ દ્વારા યાત્રીઓને રિફંડ પ્રોસેસ માટે પણ અપીલ કરવામાં આવી છે પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમે જેટ એરવેઝની વેબસાઇટ પર જઇને ટિકીટ બુક કરી હતી તો તમે સીધા એની વેબસાઇટ પર જઇને રિફંડ પ્રોસેસ શરૂ કરી શકો છો. જો તમે કોઇ ટ્રાવેલ એજન્ટ દ્વારા ટિકીટ ખરીદી છે તો તમારે સીધા એજન્ટ અથવા પોર્ટલ સાથે સંપર્ક કરવો પડશે.
ટિકીટ રિફંડ માટે કેવી રીતે કરશો અપ્લાય
રિફંડ પ્રોસેસ માટે તમારે કંપનીની વેબસાઇટના ડિસરપ્શન આસિસ્ટેદસ પેજ https://www.jetairways.com/information/disruption assistance.aspxપર જઇને ફોર્મ ભરવું પડશે. ડિટેલમાં તમારે તમારું પૂરું નામ, રૂટ, PNR અથવા બુકિંગ રેફરેન્સ, ટિકીટ નંબર, ટ્રાવેલ તિથિ અને કૉન્ટેક્ટ નંબર પૂછવામાં આવશે. ત્યારબાદ ફોર્મને સબમિટ કરવું પડશે.
જેટ એરવેઝ પ્રમાણ સબ્મિટ કર્યાના 7 10 દિવસમાં તમારા બેંક અકાઉન્ટમાં રિફંડ રાશિ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જો તમને રિફંડ પ્રોસેસમાં કોઇ પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે જેટ એરવેઝના કસ્ટમર કેર 08039243333 નંબર પર સંપર્ક કરી શકો છો. જો કે કંપનીનું કહેવું છે કે ભારે પ્રમાણમાં રિક્વેસ્ટ આવવાના કારણે રિફંડમાં થોડું મોડું થઇ શકે છે.