ચેતેશ્વર પૂજારા છેલ્લા થોડા સમયમાં ઘણુ મોટુ નામ થયુ છે. તેને ક્યારેય સીમિત ઓવર ક્રિકેટ ખેલાડી તરીકે જોવામાં આવ્યો નથી પરંતુ દ્રવિડની સલાહથી 2021માં સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે.
રાહુલ દ્રવિડની સલાહથી બદલાયુ જીવન
ચેતેશ્વર પૂજારાએ કરી ટી-20 ફોર્મેટ વિશે વાત
2021માં સેન્નઇ સુપર કિંગ્સમાંથી રમશે પૂજારા
ચેતેશ્વર પૂજારા 7 વર્ષ બાદ IPLમાં રમશે. ચેન્નઇ સુપર કિંગ્સે 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર તેને ખરીદ્યો અને ટી-20 ક્રિકેટમાં જગ્યા મળી તેનો સંપૂર્ણ શ્રેય તે પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડને આપે છે. તેણે કહ્યું કે દ્રવિડના સમજાવવા પર જ તે આ ફોર્મેટમાં વાપસી કરી શક્યો છે.
પૂજારાએ ESPNને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, પહેલા તેને ટી-20 રમવાને લઇને ચિંતા થતી હતી કે આ ફોર્મેટમાં રમવાથી ટેસ્ટ પ્રદર્શન ખરાબ ન થઇ જાય. આ જ કારણથી તે ટી-20થી હંમેશા દૂર રહ્યો છે. દ્રવિડના સમજાવવા પર જ તેણે આ ફોર્મેટમાં વાપસી કરી છે.
દ્રવિડની સલાહથી મળી મદદ
પુજારાએ આગળ કહ્યું કે કરિયરની શરૂઆતમાં જ મને લાગતુ હતુ કે ટી-20 ફોર્મેટ અનુસાર જો પોતાની જાતને ઢાળવાનો પ્રયત્ન કરીશ તો ટેસ્ટ ક્રિકેટ ભૂલી જશે પરંતુ હવે એવુ નથી. આ બધુ અનુભવ પર નિર્ભર છે. આ ડર ખત્મ થવો જોઇએ અને આટલા વર્ષના અનુભવથી જે શિખ્યો છુ તે પ્રમાણે સ્વાભાવિક રમત જ રમવી જોઇએ. આ રિયલાઇજ કરાવવામાં દ્રવિડનો ખુબ મોટો હાથ છે. તેમણે મને કહ્યું કે તારો સ્વાભાવિક ખેલ કોઇ દિવસ નહી બદલાય અને તુ નવા શોટ લગાવતા શીખી જઇશ.
ટી-20માંથી ટેસ્ટમાં સ્વિચ કરવામાં નહી આવે મુશ્કેલી
પુજારાએ કહ્યું કે મે 2005-06માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યુ હતુ. આ હિસાબથી મને ટેસ્ટ રમતા 15 વર્ષ થઇ ગયા છે. હવે જો હું ટી-20 રમુ છુ તો પણ જે પ્રકારે ટેસ્ટમાં રમુ છુ તેને ભૂલી નહી જઉ. હવે મને ટી-20માંથી ટેસ્ટમાં વાપસી કરવામાં મુશ્કેલીઓ નહી આવે.