મોબાઇલ ઇન્ટરનેટથી લોકોની જિંદગી સરળ થઇ છે, પરંતુ સમસ્યાઓ પણ થઇ રહી છે. તેના વધુ ઉપયોગથી નુકશાન થઇ રહ્યા છે. તેને મનોવૈજ્ઞાનિક ભાષામાં પ્રોબલેમેટિક ઇન્ટરનેટ યુઝ કહેવાય છે. તેમાં વ્યક્તિ ઇચ્છવા છતાં પણ ઇન્ટરનેટના ઉપયોગથી દુર રહી શકતા નથી. તેને ઇન્ટરનેટ એડિક્શન સિન્ડ્રોમ પણ કહેવાય છે.
સ્માર્ટ હોવાના નામ પર લોકો સંપુર્ણ રીતે ગેઝેટ્સ પર નિર્ભર થઇ રહ્યા છે. ખાસ કરીને બાળકો અને યંગ જનરેશન. તેઓ સુતા જાગતા દરેક સમયે ફોન પર ચિપકેલા રહે છે. પેરેન્ટ્સે ટેકનોલોજીની સાથે ફિઝિકલ એક્ટિવીટી પર પણ ભાર આપવો જોઇએ. બાળકો હોય કે વડીલો દરેકે ઇન્ટરનેટનો ઉપયો સીમિત કરવો જોઇએ. ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગથી ભણવા-ગણવામાં મન ન લાગવુ, ચિડચિડીયાપણુ, યાદશક્તિ ઘટવી, નજર કમજોર થવી, આંખોમાં ડ્રાયનેસ, બાળકોમાં નર્વ, સ્પાઇન અને મસલ્સ કમજોર થવા, વાત-વાત પર ઉગ્ર થવું, થાક, ઉર્જાની કમી, વારંવાર મોબાઇલ વાગવા જેવી અનુભુતિ, કાનમાં ઇયરફોન રાખીને સાંભળવાથી કાનમાં સીટી જેવો અવાજ સંભળાવવો જેવા લક્ષણો જોવા મળે છે.
એડિક્ટ બાળકને ઇન્ટરનેટથી દુર રાખવામાં આવે તો બેચેની થવા લાગે છે. ઇન્ટરનેટના વધુ ઉપયોગથી બાળકોના મગજના ફ્રંટલ ભાગ પર તેની ખરાબ અસર પડે છે. આ ભાગથી બાળકો સાચો-ખોટો અને વ્યવહારિક નિર્ણય લેતા હોય છે. વધુ ઇન્ટરનેટના ઉપયોગથી બાળકોની વિચારવાની ક્ષમતા પ્રભાવિત થાય છે અને બાળકો ઉગ્ર થઇ જાય છે.
બાળકોને કેવી રીતે બચાવશો
સૌથી પહેલા તો પેરેન્ટ્સ ખુદને ગેઝેટ્સ થી દુર રાખવાની કોશિશ કરે. પાંચ વર્ષ સુધીના બાળકોને મોબાઇલ ન આપો. મોબાઇલના ઉપયોગની મર્યાદા નક્કી કરો. આખો પરિવાર તેને ફોલો કરે. જેમ કે જમતી વખતે, બેડ પર, ટોઇલેટ કે વાંચતી વખતે મોબાઇલને અડવાનું નથી. સુવાના બે કલાક પહેલા અને સવારે ઉઠીને તરત જ મોબાઇલનો ઉપયોગ ન કરો. જો આ એડિક્શન વધુ ગંભીર બને તો ક્યારેક બિહેવીયર થેરેપીની જરુર પડે છે. દરેક વ્યક્તિએ અઠવાડિયામાં એક દિવસ ઇન્ટરનેટથી દુર રહેવું જોઇએ. તેને ઇન્ટરનેટ ઉપવાસ પણ કહેવાય છે.