બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / How beneficial will one country, one law be in 2024? If UCC is implemented in India, what will change in the country?

મહામંથન / એક દેશ,એક કાયદો 2024માં કેટલો ફાયદાકારક રહેશે? UCC ભારતમાં લાગુ થાય તો દેશમાં શું ફેરફાર થાય?

Vishal Khamar

Last Updated: 08:48 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરી એકવાર સમાન નાગરિક સંહિતાનો કાયદો ચર્ચામાં છે. પ્રધાનમંત્રીએ જ કહ્યું કે બંધારણમાં સૌને સમાન અધિકાર છે. કોમન સિવિલ કોડની ચર્ચા લાંબા સમયથી થતી આવી છે. ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવી એક પડકાર છે.

  • એક જ ઘરમાં પરિવારના સભ્યો માટે અલગ કાયદા ન હોય
  • જો એક ઘરમાં એક જ કાયદો હોય તો દેશ અલગ કાયદાઓથી કેમ ચાલે?
  • બંધારણમાં પણ નાગરિકોના સમાન અધિકારની વાત 

યુનિફોર્મ સિવિલ કોડ પર PM શું બોલ્યા?
એક જ ઘરમાં પરિવારના સભ્યો માટે અલગ કાયદા ન હોય.  જો એક ઘરમાં એક જ કાયદો હોય તો દેશ અલગ કાયદાઓથી કેમ ચાલે? બંધારણમાં પણ નાગરિકોના સમાન અધિકારની વાત કરી છે. વિપક્ષે મુસ્લિમોનું અહિત કર્યું એટલે જ તેઓ શિક્ષણ-રોજગારમાં પાછળ રહ્યા છે.  સુપ્રીમ કોર્ટે પણ કોમન સિવિલ કોડ લાગુ કરવાની તરફેણ કરી છે.  વોટબેંકની રાજનીતિને કારણે સમાન નાગરિક સંહિતા લાગુ ન થઈ છે.  પસમંદા મુસ્લિમોના શોષણ અંગે દેશમાં કયારેય ચર્ચા થઈ નથી.  પસમંદા મુસ્લિમો સાથે અતિશય ભેદભાવ થયો છે. 

  • ત્રિપલ તલાક મુસ્લિમ બહેનોને અન્યાયકારી
  • માત્ર મુસ્લિમ મહિલા જ નહીં તેના સમગ્ર પરિવારને કાયદાથી નુકસાની
  • મુસ્લિમ સમુદાયે ત્રિપલ તલાકના ગેરફાયદા સમજવા પડશે

ત્રિપલ તલાક ઉપર PM શું બોલ્યા?
ત્રિપલ તલાક મુસ્લિમ બહેનોને અન્યાયકારી છે.  માત્ર મુસ્લિમ મહિલા જ નહીં તેના સમગ્ર પરિવારને કાયદાથી નુકસાની છે.  મુસ્લિમ સમુદાયે ત્રિપલ તલાકના ગેરફાયદા સમજવા પડશે. મુસ્લિમોએ વોટબેંકની રાજનીતિને ઓળખવી પડશે. દુનિયાના મુસ્લિમ બહુમતિ ધરાવતા દેશમાં ત્રિપલ તલાકનો કાયદો નથી. જો ત્રિપલ તલાક ઈસ્લામ માટે જરૂરી તો પાકિસ્તાન, બાંગ્લાદેશમાં કાયદો કેમ નહીં?ઈજિપ્તે 8 થી 9 દાયકા પહેલા ત્રિપલ તલાકનો કાયદો સમાપ્ત કર્યો. 

  • અલગ-અલગ ધર્મના પર્સનલ લૉ ખતમ થશે
  • વિવાહ, વારસાઈ, ઉત્તરાધિકારી જેવા મુદ્દાના જટિલ કાયદા સરળ બનશે
  • ધર્મ કે વ્યક્તિગત કાયદાના આધારે ભેદભાવ દૂર થશે
  • ત્રિપલ તલાક જેવી ધાર્મિક રૂઢી દૂર થશે

UCCની તરફેણમાં દલીલ
અલગ-અલગ ધર્મના પર્સનલ લૉ ખતમ થશે.  વિવાહ, વારસાઈ, ઉત્તરાધિકારી જેવા મુદ્દાના જટિલ કાયદા સરળ બનશે. ધર્મ કે વ્યક્તિગત કાયદાના આધારે ભેદભાવ દૂર થશે. ત્રિપલ તલાક જેવી ધાર્મિક રૂઢી દૂર થશે. 

  • યુનિફોર્મ સિવિલ કોડથી ધાર્મિક સ્વતંત્રતા ઉપર તરાપ વાગશે
  • વ્યક્તિગત કાયદાઓને અસર પહોંચશે
  • તમામ ધર્મ ઉપર હિંદુ પર્સનલ લૉ લાગુ કરવાનો આરોપ મુકાશે

UCCની વિરુદ્ધમાં દલીલ
યુનિફોર્મ સિવિલ કોડથી ધાર્મિક સ્વતંત્રતા ઉપર તરાપ વાગશે.  વ્યક્તિગત કાયદાઓને અસર પહોંચશે. તમામ ધર્મ ઉપર હિંદુ પર્સનલ લૉ લાગુ કરવાનો આરોપ મુકાશે. દક્ષિણ અને ઉત્તરના રાજ્યના હિંદુ સમુદાયના રિવાજો ભિન્ન છે.  ઉત્તરના રાજ્યોમાં સંબંધીઓ વચ્ચે લગ્ન નથી થતા, દક્ષિણમાં થાય છે. પૂર્વોત્તરના રાજ્યોના સ્થાનિક રીત-રિવાજને બંધારણ સુરક્ષા આપે છે તેને અસર થશે. લઘુમતિ સમુદાય ઉપર બહુસંખ્યક સમુદાયના કાયદા લાગુ કરવાનો આરોપ મુકાશે. કેટલાક રાજ્યમાં આદિવાસી માટેના અલગ કાયદા છે તેને દૂર કઈ રીતે કરાશે? 

સંકળાયેલા મુદ્દાઓ

Common Civil Code Prime Minister Modi Triple Talaq Vtv Exclusive કોમન સિવિલ કોડ પ્રધાનમંત્રી Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ