જોધપુરઃ મોટેરામાં 1972માં બંધાયેલી આસારામની ઝૂંપડી આપણી અંધશ્રદ્ધાના બળે 10 હજાર કરોડનું સામ્રાજ્ય બની ગઈ. માયા મુક્તિની વાતો કરતાં કરતાં આસારામે દેશ-વિદેશમાં આશ્રમ નામે અબજોની માયા ઉભી કરી દીધી. પછી ભૂલાઈ ગઈ સંયમની વાતો અને શરૂ થયો ભોગવિલાસ. સાથે જ ભોગવિલાસ આડે આવનારનો કાંટો કાઢવાની સંતે શરૂ કરી શેતાની રમત. માયામુક્તિનો ઉપદેશ આપનાર આસારામ આજે ખુદ કેદમુક્ત થવા આજીજી કરી રહ્યા છે.
શું હતી આસારામની હકિકત ?
પોતાના જ આશ્રમની બાળકી સાથે દુષ્કર્મ મામલે સજા કાપી રહેલ આસારામને લઇ કાલે અંતિમ ચુકાદો આવી જશે. જેનો આસારામ તો ઠીક પરંતુ જેલની બહાર તેમના હજારો સમર્થકો અને સામાન્ય માણસને પણ રાહ છે. જોધપુરમાં બીજી તરફ પોલીસનો બંદોબસ્ત જડબેસલાક છે અને 144 લાગૂ કરી દેવામાં આવી છે. ત્યારે આસારામથી જોડાયેલ મામલાની પળ-પળની ખબરો પર લોકો તાકીને બેઠા છે. પોતાના સમર્થકોના અલગ-અલગ ઉપહારો મેળવનારા આસારામની હકિકત શું હતી શું હતી તમને ખબર છે? માત્ર મુઠીભર લોકો પાસે જ આનો જવાબ હશે...
સંત નામે કલંક...આસારામનો ઇતિહાસ
આસારામનો જન્મ એક સામાન્ય ઘરમાં થયો હતો. આસારામનું અસલીનામ આસુમલ સિરૂમલાની છે. પાડોશી દેશ પાકિસ્તાનથી ભારત આવીને અહીં કામ કર્યું અને પછી છેલ્લે ધર્મને પોતાના નિશાને લીધું. કરોડોની સંપત્તિના માલિક આસારામના પિતા કરીયાણાની દુકાન ચલાવતા હતા. જ્યાં તેમને ધંધો પણ બરોબર નહોતો ચાલતો. અબજો આશ્રમોના સંચાલક આસારામ બાળપણમાં પોતાના પરિવારથી છુટા થયા બાદ હિન્દુસ્તાન આવ્યા અને અમદાવાદમાં આવીને રહેવા લાગ્યા. પહેલા ચાની નાની દુકાન ચલાવી. નાની ઉંમરમાં પિતાના નિધન બાદ દુકાન દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા રહ્યા. પછી એક પોલીસ કેસ થવાના કારણે આસુમલ સરદારનગર ચાલ્યા ગયા.
સ્વામી લીલાશાહને બનાવ્યા ગુરૂ
અહીં ચાની દુકાન ચલાવનારા આસુમલે મોટા કામ કરવાનું વિચાર્યું અને કેટલાક મિત્રો સાથે દારૂના ધંધામાં હાથ અજમાવ્યો. કેટલાક વર્ષો સુધી આ કામ કરીને છોડી દીધું અને દૂધની દુકાન પર નોકરી કરી. અહીંથી તેઓ પાછા કંઇક ગાયબ થઇ ગયા. નાની ઉંમરમાં જ તેમના લગ્ન થયા બાદ તેમના આશ્રમ ખોલીને ધર્મનો ધંધો એવો શરૂ કર્યો કે પાછા ફરવાનું નામ ન લીધું. અલગ-અલગ ધર્મસ્થળોના ચક્કર કાપ્યા અને છેલ્લે વૃંદાવનના સ્વામી લીલાશાહને પોતાના ગુરૂ બનાવ્યા અને ત્યાંથી તેમને નામ મળ્યું આસારામ...
બિડલા મંદિરમાં કર્યો પ્રચાર-પ્રસાર
આસુમલથી આસારામ બનેલ તેમના આધ્યાત્મિકતામાં સમય ફાળવીને કેટલાક વર્ષો સુધી યાત્રાઓ કરી અને પોતાના સિદ્ધાંતો વહેંચ્યા. 1971માં અમદાવાદમાં સ્વામી સદાશિવના આશ્રમમાં આવીને રહ્યા. બાદમાં પોતાનું અલગ સંસ્થાન શરૂ કર્યું. જેમાં તેમને કેટલાક વેપારીઓને સહયોગ પણ મળ્યો. તેમનો પહેલો કાર્યક્રમ માર્ચ 1989માં દિલ્હીના બિડલા મંદિરમાં થયો હતો. અને સાધુ સંતોને સંભળાવનારા શ્રદ્ધાળુંઓ વચ્ચે પોતાનો પ્રચાર-પ્રસાર કર્યો. જેના પાંચ વર્ષ બાદ 1994માં લાલકિલા મેદાનમાં ફરી કાર્યક્રમ કર્યો.
જેમાં હજારો શ્રોતાઓ પહોંચ્યા. આ પ્રચાર-પ્રસાર ફરી એટલો ફેલાયો કે આજે આસારામના સમર્થકોની સંખ્યા કરોડોમાં જણાવાય રહી છે. જ્યારે પણ જોધપુરમાં સુનાવણી માટે આસારામ નિકળે છે તો તેમના સમર્થકોને કાબૂમાં કરવા પોલીસને પાણી આવી જાય છે. આ કારણે આ વખતે તેમની સુનાવણી જેલમાં જ કરવાનો નિર્ણય કોર્ટે કર્યો છે.