માણસના અલગ અલગ સ્વભાવમાં ગુસ્સો પણ એક સ્વભાવ છે. જ્યારે પણ કોઇ વાત આપણને ખોટી લાગે કે આપણને કોઇ વાતનું ખોટુ લાગે ત્યારે ગુસ્સો આવે છે. ઘણીવાર આપણા સ્વભાવને લઇને સામેવાળો વ્યક્તિ સમજી જતો હોય છે કે આપણને ગુસ્સો આવ્યો છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેમને ગુસ્સો આવે છે તેમ છતાં તે વ્યક્ત નથી કરતા, જો તમે પણ આવું કરો છો તો સાવધાન થઇ જાઓ.
ગુસ્સો કરવાથી થાય છે બિમારીઓ
સ્કીનથી જોડાયેલી બિમારીઓ થાય
હ્રદયરોગ થવાની સંભાવનાઓ રહે છે
તમારા ગુસ્સાને વ્યક્ત કરવું તે તમારી માનસિક હેલ્થમાં આવે છે. ઘણી વાર ગુસ્સાને દબાવવાથી બ્રેન સ્ટ્રોકનો ખતરો પણ વધી જાય છે.
આર્ટ્રીઝ સપ્લાય કરે છે બ્લડ
ધમનીઓ આર્ટ્રીઝ મગજ સુધી થનાર લોહીના સપ્લાયને નિયંત્રિત કરે છે. વૈજ્ઞાનિકો અનુસાર ધમનીઓ સંકુચિત થઇ જાય તો તે શરીર માટે હાનિકારક છે. જેનાથી હાર્ટ એટેક પણ આવી શકે છે.
તમને જણાવી દઇએ કે, મહિલાઓમાં સામાજીક-ભાવનાત્મક અભિવ્યક્તિ અને મગજના સ્વાસ્થ્ય વચ્ચે સંબંધ હોવાનું સામે આવ્યું છે. સ્ટ્રોક એ અમેરિકામાં મોત થવાનું સૌથી મોટુ અને ત્રીજુ કારણ છે. અમેરિકામાં વર્ષમાં 100,000 લોકોના મોત સ્ટ્રોકના કારણે થાય છે,
ગુસ્સાની શરીર પર થતી અસર
શરીરમાં એડ્રિનાલિન અને નોરાડ્રિનલ હોર્મોન્સનું સ્તર વધે છે.
ઉચ્ચ રક્તચાપ, છાતીમાં દુખાવો, માઇગ્રેન, વગેરે બિમારીઓ થઇ શકે છે
કેટલાક લોકો જલ્દી અને નાની નાની વાતો પર ગુસ્સે થઇ જાય છે, તેમને કિડનીની બિમારી કે સ્ટ્રોકની બિમારી થઇ જાય છે.
વધારે પસીનો આવવો, અલ્સર કે અપચા જેવી ફરિયાદો પણ વધુ ગુસ્સો આવવાવાળી વ્યક્તિને રહે છે.
વધારે ગુસ્સો કરવાથી હ્રદયની ધબકવાની ક્ષમતામાં પણ કમી આવી જાય છે.
વધારે ગુસ્સો કરવાથી રેશીઝ, ખીલ અને સ્કીનની સમસ્યાઓ થઇ શકે છે.