ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મુંબઇમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા સામે એક મોટો પ્રયોગ કર્યો હતો, જે ઘાતક સાબિત થયો હતો અને ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ રોહિત શર્મા, શિખર ધવન અને કેએલ રાહુલ ત્રણેય ઓપનિંગ બેટ્સમેનોને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા માટે બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કર્યો હતો.
કોહલીના આ ભૂલ ટીમને પડી ભારે
આ કારણથી ઓસ્ટ્રેલિયા સામે ટીમ હારી
કોહલીએ બેટિંગ ઓર્ડરમાં કર્યો હતો ફેરફાર
આ મેચમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાને 256 રનનો સાધારણ ટાર્ગેટ આપી શકી હતી, જે મહેમાન ટીમે સરળતાથી હાંસલ કરી લીધું હતું. આ મેચમાં રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગ માટે મેદાન પર ઉતર્યા હતા, જ્યારે રાહુલ ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. નંબર 4ના બેટ્સમેન શ્રેયસ અય્યર 5માં ક્રમે ઉતર્યો. બેટિંગ ક્રમમાં આ પ્રકારના પરિવર્તનથી તમામ બેટ્સમેન કન્ફ્યૂઝ જોવા મળ્યા હતા, જે તેમની બેટિંગમાં પણ જોવા મળી રહ્યું હતું.
મિશેલ સ્ટાર્કે રોહિત શર્માને કર્યો આઉટ
ટીમ ઈન્ડિયાએ રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડી સાથે સારી શરૂઆતની આશા રાખી હતી, પરંતુ તે થયું નહીં. પાંચમી ઓવરના ત્રીજા બોલ પર મિશેલ સ્ટાર્કે રોહિત શર્માને આઉટ કરી દીધો. રોહિત શર્મા 10 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શિખર ધવન અને લોકેશ રાહુલે 121 રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે લોકેશ રાહુલ 28મી ઓવરમાં આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાના ગબ્બર શિખર ધવન તેની વનડે કારકિર્દીની 28મી અર્ધસદી ફટકારી આઉટ થયો હતો. ધવનને પેટ કમિંસે એશ્ટન એગરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ધવને 91 બોલમાં 74 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીનો આ નિર્ણય ઘાતક સાબિત થયો
આ મેચમાં વિરાટ કોહલી 3 નંબરને બદલે 4 નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. વિરાટ કોહલીનો આ નિર્ણય ઘાતક સાબિત થયો. ચોથા નંબર પર બેટિંગ વિરાટ કોહલીને રાસ આવી નહીં અને કોહલી 16 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. વિરાટ કોહલીનો નંબર 3 પર શાનદાર રેકોર્ડ છે, પરંતુ નંબર 4 પર બેટિંગ કરવાનો નિર્ણય વિરાટ માટે નુકસાનકારક સાબિત થયો. ચોથા નંબર પર શાનદાર પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવનાર બેટ્સમેન શ્રેયસ અય્યરને પણ બેટિંગ ઓર્ડરમાં પરિવર્તન ગમ્યું નહીં.
શ્રેયસ અય્યર માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો
શ્રેયસ અય્યર માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. આ રીતે બેટિંગ ક્રમમાં ફેરફાર ટીમ ઈન્ડિયાને ભારે પડ્યો હતો. શિખર ધવન અને લોકેશ રાહુલે 121 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ આ ભાગીદારી તૂટી જતાં આખી ટીમ 255 રનમાં પડી ગઈ હતી. ઋષભ પંત (28) અને રવિન્દ્ર જાડેજા (25)એ છઠ્ઠી વિકેટ માટે 49 રન બનાવ્યા, પરંતુ તે બંને સતત ઓવરમાં પેવેલિયન પરત ફર્યા. શાર્દુલ ઠાકુર (13), કુલદીપ યાદવ (17) અને મોહમ્મદ શમી (10) ભારતીય સ્કોરને 250ની પાર પહોંચાડી શક્યા, નહીં તો સ્થિતિ આનાથી પણ ખરાબ હોત.