હાલમાં ગુજરાતના લગભગ દરેક જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બારેમેઘ ખાંગા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યારે અમદાવાદમાં એક દિવસમાં ભારે વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. શહેરોમાં જ્યાં જ્યાં વરસાદ ખાબક્યો છે ત્યાં પાણી ભરાવવાની સમસ્યા વિકટ બની છે. આવામાં દર વખતે એ સવાલ થાય છે કે તંત્ર આવી સ્થિતિમાં પહોંચી વળે તેનું કોઈ કાયમી નિવારણ કેમ શોધતી નથી. ત્યારે જો રાજાઓના સમયની વાત કરીએ તો તેમણે આવી પરિસ્થિતિને કાબૂમાં રાખવા એવી વ્યવસ્થા અને માળખાની રચના કરી હતી કે જેથી પાણી ભરાવવાની સમસ્યા ન થાય. તો જાણો Analysis with Isudan Gadhvi માં કે ગુજરાતમાં કયા રાજાઓએ આવી જ કામગીરી કરી હતી...