દિલ્હીમાં તબલીગી જમાતના લોકોએ દેશમાં કોરોનાની મુશ્કેલી વધારી દીધી છે. એવામાં નિઝામુદ્દીન મરકજને ખાલી કરાવવામાં પણ પોલીસને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મૌલાના સાદ કોઈની વાત સાંભળવા તૈયાર ન હતા એવામાં ગૃહમંત્રી અમિત શાહે અજીત ડોભાલને અડધી રાતે મસ્જિદ ખાલી કરાવવાના કામ માટે મોકલવા પડ્યા.
રાત્રે 2 વાગે અજીત ડોભાલે કર્યો હસ્તક્ષેપ
અજીત ડોભાલની અપીલ બાદ મસ્જિદ ખાલી કરાવવામાં આવી
હવે દેશમાંથી મરકજમાં સામેલ થયેલા લોકોને શોધવાની કામગીરી કરવામાં આવશે
દિલ્હીમાં તબલીગી જમાતનાં મરકજમાંથી 24 લોકો કોરોના વાયરસ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો હતો. મરકજથી જોડાયેલા 350 લોકોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. નિઝામુદ્દીન મરકજનાં મૌલાનાએ મસ્જિદ ખાલી કરવાથી ઇનકાર કરી દેતા ગૃહમંત્રી અમિત શાહે રાતોરાત અજીત ડોભાલને મોરચો સંભાળવા માટે મોકલી દીધા.
સુરક્ષા એજન્સીઓએ અન્ય રાજ્યોને પણ એલર્ટ કર્યા હતા. તેલંગાણાનાં 9 લોકોને સુરક્ષા એજન્સીઓને કરીમનગરથી ટ્રેક કર્યા હતા. જે બાદ શાહ અને ડોભાલ બંને પરિસ્થિતિની ગંભીરતાને સમજી ગયા હતા. જે બાદ અજીત ડોભાલ રાત્રે 2 વાગે પહોંચ્યા અને મૌલાના સાદને કોવિડ 19 ટેસ્ટ કરાવવાની વાત કરી.
નોંધનીય છે કે ઘણા દાયકાઓથી ભારત અને વિદેશનાં ઘણા બધા મુસ્લિમો સાથે સંબંધ બનાવ્યા છે. તે દેશના લગભગ દરેક મુસ્લિમ ઉલેમાને જાણે છે અને ઘણીવાર રાષ્ટ્રીય રણનીતિ બનવવા માટે તેમની સાથે સમય વિતાવે છે ત્યારે ડોભાલના હસ્તક્ષેપ બાદ આખી મસ્જિદની સફાઈ કરવામાં આવી.
ઓપરેશન મરકજ હવે બીજા સ્ટેજમાં આવી ગયું છે. જેમાં વિદેશથી આવેલા લોકોને દેશભરમાંથી ટ્રેક કરવાની કામગીરી કરવામાં આવશે. માનવામાં આવે છે કે જાન્યુઆરી બાદ આશરે 2 હાજર વિદેશથી આવેલા લોકોએ મરકજની મુલાકાત લીધી હતી. જેમાં ઇન્ડોનેશિયા, મલેશિયા અને બાંગ્લાદેશના લોકો પણ સામેલ છે. હવે ગૃહમંત્રાલય સામે આ બધાને શોધવાની જવાબદારી સામે આવી છે.