પપ્પા નોકરી કરે છે અને મમ્મી કંઇ નથી કરતી, હું અને મારો ભાઇ સ્કુલમાં જઇએ છીએ...માઇ સેલ્ફ વિશે કોઇ પણ બાળકને બોલવાનું કહીએ અને જો તેની માતા વર્કિંગ વુમન ન હોય તો પરિચય કંઇક આ રીતે જ થાય. તેનું કારણ બાળક નહી આપણા સમાજની માનસિકતા છે. બહાર નોકરી ન કરવી અને માત્ર ઘર સંભાળવાને આપણો સમાજ કામ નથી ગણતો કે ના તેને યોગદાન ગણે છે. સુપ્રિમ કોર્ટે આ પ્રકારની વિચારધારાને અયોગ્ય ગણાવી હતી.
સુપ્રિમ કોર્ટે ગૃહિણીઓ માટે કહી વાત
ગૃહિણીનો કોઇ પગારમાં ન બાંધી શકાય
સમાજની માનસિકતા બદલવાની જરૂર
મહિલાઓને આપો મહત્વ
સુપ્રિમ કોર્ટે મગંળવારે કહ્યું કે, ગૃહિણીઓ કામ નથી કરતી, આર્થિક યોગદાન નથી આપતી આ વિચારધારા જ ખોટી છે. વર્ષોથી પ્રચલિત આ માનસિકતાને બદલવાની જરૂર છે. તેમનો પગાર નક્કી કરવો મહત્વપુર્ણ છે. આ દરેક મહિલાના કામને મહત્વ આપવા જેવું છે જે સામાજીક અને સાંસ્કૃતિક માન્યતાઓના કારણે આવું કરવા માટે મજબૂર છે.
રોડ અકસ્માતમાં થયુ મોત
જસ્ટીસ એન.વી. રમન્ના, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સુર્યકાંતની પીઠે એક રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતિના પરિવારના લોકોને આ વાત કહી હતી. આ મામલે વાહન દુર્ઘટનાના કોમ્પનશેશન પંચાતે પિડીત પક્ષને 40.71 લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો. પંચાયતના આ નિર્ણયને વિમા કંપનીએ હાઇકોર્ટમાં ચુનોતી આપી હતી. હાઇકોર્ટે અપીલને આંશિક રૂપથી સ્વિકાર કર્યુ હતુ પરંતુ ભવિષ્યની સંભાવનાવાળા હિસ્સાને હટાવી દીધો હતો.
હાઇકોર્ટની રકમમાં કર્યો વધારો
સુપ્રિમ કોર્ટે પિડીત પક્ષની અપીલ સ્વિકારતા હાઇકોર્ટે નક્કી કરેલી 22 લાખ રૂપિયાની રકમને વધારીને 33.20 લાખ કરી દીધી છે. સુપ્રિમ કોર્ટે વધુમાં કહ્યું કે, રોડ અકસ્માતમાં પીડિત પક્ષને તેમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ભવિષ્યમાં કમાણીની સંભાવના પર વિચાર કરી શકાય છે. ભલે તે ઘટના સમયે તેની સેલેરી નામમાત્ર જ કેમ ન હોય.
અદાલતે કહી આ વાત
અદાલતે કહ્યું કે, ઘરમાં કામકાજ કરનારી મહિલાઓની હિસ્સેદારી ખુબ જ વધુ છે. તેમાં સંપૂર્ણ પરિવર માટે ભોજન બનાવવું, બાળકોની જરૂરિયાતોને પુર્ણ કરવી, સાફ સફાઇ, વૃદ્ધોની દેખભાળ સહિત ઘણા બધા કામ હોય છે. તેમાં પરિવારની અર્થવ્યવસ્થામાં તેની હિસ્સેદારી પર ફોકસ કરવું જરૂરી બને છે.